SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થસ્થોએ એવું સમજાવ્યું હોય છે કે પૂ. સાધુભગવંતોને વહોરાવવાથી બહુ લાભ મળે છે. શિકારી જેમ શિકાર(મૃગાદિ)ની પાછળ પડે છે તેમ ગૃહસ્થોએ પૂ. સાધુભગવંતોને ગમે તે રીતે વહોરાવવું જોઈએ. પાર્થસ્થોના આવા પરિચયના કારણે અને પોતાના અભિનિવેશના કારણે એ શ્રોતાને બીજી વાતનું કોઈ જ જ્ઞાન હોતું નથી. તેથી આવા પાર્શ્વસ્થભાવિત શ્રોતાને; પૂ. સાધુભગવંતોએ શુદ્ધ પિંડ જ ગ્રહણ કરવો જોઇએ આ વાત જ સમજાવવી. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અશુદ્ધ પિંડ પણ લઈ શકાય છે – એ વાત ન સમજાવવી : આ પ્રમાણે શ્રી બૃહત્કલ્પમાં જણાવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે સંવિગ્નભાવિત અને શિકારીના દૃષ્ટાંતથી ભાવિત(પાસ્થથી ભાવિત અભિનિવેશી) શ્રોતાને ક્ષેત્ર, કાળ અને ભાવ (તેમ જ દ્રવ્ય)ને છોડીને (અર્થાત્ તેને લઈને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાની વાતને છોડીને) શુદ્ધ જ પિંડ જણાવવો. અહીં સમજી લેવું જોઇએ કે સંવિગ્નભાવિત શ્રોતાઓને તેમની રુચિ મુજબ શુદ્ધ પિંડ જણાવ્યા પછી દ્રવ્યાદિ કારણે અશુદ્ધ પિંડ પણ પૂ. સાધુભગવંતો લઈ શકે છે - એ જણાવવું. પાર્થસ્થભાવિત શ્રોતાઓને તો, શુદ્ધપિંડ જ ગ્રહણ કરવાનો છે - તે જણાવવું. આનાથી બીજું જણાવવાનું પિષ્ટપેષણ (પીસેલાને પીસવું) જેવું નિરર્થક છે. કારણ કે સંવિ અને પાર્થસ્થથી ભાવિત તે તે શ્રોતાને; અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ પિંડ પૂ. સાધુભગવંતો ગ્રહણ કરી શકે છે – એની જાણ છે જ. તેથી તે જણાવવાનું અર્થહીન છે. કારણ કે મોટાઓનો પ્રયાસ અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનો હોય છે. તાર-૨ ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નભાવિતાદિ માટે જે રીતે દેશના આપવાની, તે જણાવ્યું. હવે જો શ્રોતા કુનયાદિની દેશનાથી ભાવિત હોય અને અભિનિવેશવાળો હોય તો શું કરવું તે જણાવાય છે दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि । दुष्टांशच्छेदतो नाझी दूषयेद् विषकण्टकः ॥२-३०॥ दुर्नयेति-परस्य कुदेशनया दुर्नयाभिनिवेशे त्वेकान्तग्रहरूपे ज्ञाते । तं दुर्नयं । दृढं दूषयेदपि । यतो दुष्टांशस्य छेदतो विषकण्टकोऽङ्घी न दूषयेदेवमिहापि दुर्नयलवच्छेदे द्वावपि नयौ सुस्थिता-ववतिष्ठेते इति । न चैवमितरांशप्रतिक्षेपादुनयापत्तिस्तस्य प्रकृतनयदूषणातात्पर्येण नयान्तरप्राधान्य-ग्राहकत्वेन परेषां तर्कवदनुग्राहकत्वेन तत्र तत्र व्यवस्थितत्वात् । निर्णीतमेतन्नयरहस्ये ॥२-३०॥ “એકાંતગ્રહસ્વરૂપ દુર્નયનો અભિનિવેશ હોય તો તે દુર્નયને દઢતાપૂર્વક દૂષિત કરવો જોઇએ. કારણ કે દુશંશના છેદનથી વિષકંટક પગને પીડા પહોંચાડતો નથી.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - કુદેશના(પરસ્થાનદેશના ઉન્માર્ગદશનાદિ)ના શ્રવણના કારણે શ્રોતાને દુર્નય(દુષ્ટન-નયાભાસ)માં અભિનિવેશ છે- એવું ૮૨ દેશના બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy