________________
તે વસ્તુની આકાંક્ષાથી ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ... ઇત્યાદિ વાક્યર્થને જાણ્યા પછી શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર બંધાવવાં; નવકલ્પી વિહાર કરવા તેમ જ એક પગ પાણીમાં અને એક પગ બહાર ઊંચે અદ્ધર રાખીને નદી ઊતરવી... વગેરે કઈ રીતે શક્ય બને; એ બધાં વાક્યોનો અર્થ કઈ રીતે સંગત કરવો.. વગેરે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાસ્વરૂપ મહાવાક્યર્થના કારણે પૂર્વમાં થયેલું જ્ઞાન; સંબંધિત સકલ વાક્યર્થનું અવગાહન કરે છે. પાણીમાં પડેલું તેલનું બિંદુ જેમ બધે ફેલાય છે તેમ ચિંતાજ્ઞાન; અનેક વિષયોમાં વિસ્તરે છે. આ રીતે તે તે વાક્યાર્થસાપેક્ષ અર્થનો નિર્ણય સૂક્ષ્મયુક્તિપૂર્વક થાય છે. સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી યુક્તિને સૂક્ષ્મ યુક્તિ કહેવાય છે. તે તે અર્થનો, અનેકવિધ અપેક્ષાએ પૂર્વાપરના વિરોધને દૂર કરી જે નિર્ણય કરાય છે તે નિર્ણય સપ્તભંગી સ્વરૂપ સ્યાદ્વાદથી સંગત હોય છે.
સત્ત્વ-અસત્ત્વ; નિત્યત્વ-અનિત્યત્વ અને ભિન્નત્વ-અભિન્નત્વ... વગેરે ધર્મોનો તે તે અપેક્ષાએ એક જ ઘટાદિ વસ્તુમાં સ્વીકાર કરવો – તેને “સ્યાદ્વાદ' કહેવાય છે. પ્રમાણ અને નયવાક્યથી એવો સ્યાદ્વાદસંગત બોધ થતો હોય છે. વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારાં તે તે વાક્યોને પ્રમાણવાક્ય કહેવાય છે. અને વસ્તુના એક અંશને (અસમગ્ર સ્વરૂપને) જણાવનારાં વાક્યને નયવાક્ય કહેવાય છે. બંન્ને વાક્યોને આશ્રયીને સપ્તભંગી પ્રવર્તે છે. કોઈ પણ વસ્તુને જણાવવા માટેના વચનના પ્રકારને ભંગ કહેવાય છે. સ્થાન્તિ; ચન્નિતિ ચાતિ નાસ્તિ; ચાલવાવ્ય; અતિ વ્ય; ચાતિ સવઃ અને ચાતિ નતિ કવરવ્યઃ - આ પ્રમાણે સપ્તભંગી છે. આ પ્રમાણે સાત ભંગોને છોડીને અન્ય આઠમો ભંગ નથી. નય, પ્રમાણ અને સપ્તભંગીનું સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે તેની જિજ્ઞાસાવાળાએ રત્નાકરાવતારિકા, જૈનતર્કભાષા વગેરે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઇએ. 1ર-૧૨ ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે
सर्वत्राज्ञापुरस्कारि ज्ञानं स्याद् भावनामयम् ।
अशुद्धजात्यरत्नाभासमं तात्पर्यवृत्तितः ॥२-१३॥ सर्वत्रेति-सर्वत्र महावाक्यनिर्णीतेऽर्थे । विपक्षशङ्कानिरासदाया॑य । आज्ञापुरस्कारि भगवदाज्ञाप्राधान्यद्योतकम् । तात्पर्यवृत्तितो जायमानं ज्ञानं भावनामयं स्याद् । अशुद्धजात्यरलस्य स्वभावत एव अन्यजीवरलेभ्योऽधिकज्ञानदीप्तिस्वभावस्य भव्यरूपस्य आभासमं कान्तितुल्यम् । एकस्य वाक्यस्य कथं श्रुतादयो व्यापारा इति परप्रत्यवस्थाने तु यथेन्द्रियस्य तव सविकल्पके जननीये सन्निकर्षादय इत्युत्तरमधिकमुपदेशरहस्ये विपश्चितमस्माभिः ॥२-१३।।
૬૦
દેશના બત્રીશી