SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કે બાહ્યયતનાથી લોકોને જાણ થાય કે – આ મહાત્મા હિંસા કરતા નથી. આથી વિશેષ કોઈ જ બીજું પ્રયોજન તેનું નથી. પાપનો પરિહાર તો મનના પરિણામથી જ થાય છે. તેથી પરપ્રાણની રક્ષા કરવાની આવશ્યકતા નથી... આવી શંકાના સમાધાન માટે જણાવાય છે– तिष्ठतो न शुभो भावो हसदायतनेषु च । गन्तव्यं तत्सदाचारभावाभ्यन्तरवमना ॥७-३१॥ तिष्ठत इति-असदायतनेषु प्राणव्यपरोपणादिषु । तिष्ठतो हि शुभो भाव एव न भवति । अतः परिणामशुद्ध्यर्थमेव परप्राणरक्षणं साधूनामिति भावः । तदुक्तं-“जो पुण हिंसायतणेसु वट्टइ तस्स नणु परीणामो । दुो न यतं लिंग होइ विसुद्धस्स जोगस्स ।।१।। तह्या सया विसुद्धं परिणामं इच्छया सुविहिएणं । हिंसाययणा सव्वे परिहरियव्वा पयत्तेणं ।।२।।" ये त्वेकान्तनिश्चयमेवाद्रियन्ते ते निश्चयतो निश्चयमेव न जानते, हेतुस्वरूपानुबन्धशुद्धतज्ज्ञानाभावात् । तदाह-“णिच्छयमवलंबंता णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं बाहिरकरणालसा केई ।।१।।” तत्तस्मात् सदाचारः परिशुद्धबाहयतना भावश्च शुद्धपरिणामस्ताभ्यामभ्यन्तरवर्त्मना गन्तव्यं मुमुक्षुणा, तथैव दयाविशेषसिद्धेरिति हितोपदेशः ।।७-३१।। “અસત્ એવાં સ્થાનોમાં રહેતાં શુભ ભાવ જ રહેતો નથી. તેથી સદાચાર અને ભાવ (પરિણામ) વડે મુમુક્ષુ આત્માએ અત્યંતર માર્ગે ચાલવું જોઈએ.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રાણવ્યપરોપણ (પ્રાણીની હિંસા), અસત્યભાષણ વગેરે સ્વરૂપ અસ આયતન (સ્થાનો)માં જેઓ વિના કારણ રહે છે; અર્થાતુ સંયોગવિશેષ ન હોવા છતાં જેઓ એવી હિંસાદિની પ્રવૃત્તિ કરે છે, તેમને અહિંસાદિના પરિણામ સ્વરૂપ શુભ ભાવની પ્રાપ્તિ જ થતી નથી. તેથી મનના તેવા પ્રકારના તે તે પરિણામની શુદ્ધિ માટે સાધુભગવંતોએ પરપ્રાણની રક્ષા કરવી જોઈએ. આથી કહ્યું છે કે “જે હિંસાનાં સ્થાનોમાં વર્તે છે તેના પરિણામ દુષ્ટ છે. એ દુષ્ટ પરિણામ વિશુદ્ધ યોગોનું લિંગ નથી. જણાવનારું નથી.) અર્થાતુ તે દુષ્ટ પરિણામ અશુદ્ધ યોગોને જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામની ઇચ્છા રાખનારા સુવિહિત પૂ. સાધુભગવંતોએ પ્રયત્નપૂર્વક બધાં જ હિંસાનાં સ્થાનોનો પરિહાર(ત્યાગ) કરવો જોઇએ.” આથી સમજી શકાશે કે પરપ્રાણની રક્ષા કરવાથી વિશુદ્ધ પરિણામની પ્રાપ્તિ થતી હોય છે. જે લોકો એકાંતે નિશ્ચયનયનો જ આદર કરે છે અને વ્યવહારનયનો આદર કરતા નથી તેઓ ખરેખર તો નિશ્ચયનયને જાણતા જ નથી. કારણ કે તેમને હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ એવા નિશ્ચયનયનું જ્ઞાન નથી. સામાન્ય રીતે મનનો અહિંસાનો વિશુદ્ધ પરિણામ નિશ્ચયનયની અપેક્ષાએ અહિંસા છે. પરપ્રાણની રક્ષાની પ્રવૃત્તિથી તે પરિણામ સિદ્ધ થાય છે અને તે પ્રવૃત્તિથી મનનો વિશુદ્ધ પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધતરબની સાનુબંધ બને છે. આમ છતાં જેઓ માત્ર મનના શુદ્ધ પરિણામને જ આગળ કરીને તેના હેતુભૂત પર પ્રાણની રક્ષાની પ્રવૃત્તિને માનતા નથી, તેઓ એક પરિશીલન ૨૭૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy