________________
अथ साधुसामग्र्यद्वात्रिंशिका प्रारभ्यते ।
जिनभक्तिप्रतिपादनानन्तरं तत्साध्यं सामग्र्यमाह
પાંચમી બત્રીશીમાં શ્રી જિનપૂજાનું પ્રતિપાદન કરતાં દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. ૫રમાત્માની ભક્તિના એક અંગ સ્વરૂપે દ્રવ્યપૂજા કરતી વખતે તેનાથી સાધ્ય તરીકે ભાવપૂજા અભીષ્ટ હોય છે. તેથી અહીં ભાવપૂજાસ્વરૂપ સાધુસામગ્યનું વર્ણન કરાય છે. ભાવપૂજા (ભાવસ્તવ) સાધુની પૂર્ણતામાં છે. તેથી ભક્તિના વર્ણન પછી હવે તેનું વર્ણન કરાય છે—
ज्ञानेन ज्ञानिभावः स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः ॥६-१॥
જ્ઞાનેનેતિ—વ્યન્ત: ||૬-૧||
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ‘સંયમી મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ હોય છે, ભિક્ષાથી ભિક્ષુભાવ હોય છે અને વૈરાગ્યના કારણે વિરાગીભાવ હોય છે.’ આશય એ છે કે સાધુપણાની સમગ્રતા યદ્યપિ અસંખ્યાત પ્રકારની છે. પરંતુ તે સામગ્યનું અહીં ત્રણ પ્રકારે વર્ણન કરવાનું છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણના કારણે પૂ. સાધુભગવંતોની સમગ્રતા અહીં વર્ણવાય છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યના કારણે સાધુભગવંતો ચારિત્રની પૂર્ણતાને પામવા સમર્થ બને છે. એક રીતે વિચારીએ તો જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય હોય તો બીજી એવી કોઇ વસ્તુ નથી કે જેને લઇને સાધુસમગ્રતામાં ન્યૂનતા જણાય અને જ્ઞાન, ભિક્ષા તેમ જ વૈરાગ્ય ન હોય તો એવી બીજી કોઇ વસ્તુ નથી કે જેને લઇને સાધુસમગ્રતા જણાય. તેથી જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યની અપેક્ષાએ સાધુસમગ્રતાનું વર્ણન કરવાનું; આ બત્રીશીથી ઉદ્દિષ્ટ છે. આમ પણ સાધુસામગ્યના અસંખ્ય પ્રકારોને વર્ણવવાનું અશક્ય જ છે. તેથી તે ભેદોને એકબીજામાં સમાવીને તેના કેટલાક ભેદોનું જ નિરૂપણ અહીં શક્ય બન્યું છે. જેના પરિશીલનથી સાધુસમગ્રતાનો સારી રીતે પરિચય કરી શકાશે. II૬-૧||
ન
જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણની વિચારણામાં પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરાય છે—
૨૦૬
विषयप्रतिभासाख्यं तथाऽऽत्मपरिणामवत् । तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्त्तितम् ॥ ६-२ ॥
विषयेति-विषयप्रतिभास इत्याख्या यस्य, विषयस्यैव हेयत्वादिधर्मानुरक्तस्य प्रतिभासो यत्र तत् । तथा आत्मनः स्वस्य परिणामो अर्थानर्थप्रतिभासात्मा विद्यते यत्र तद्, आत्मनो जीवस्य परिणामोऽनुष्ठानविशेषसम्पाद्यो विद्यते यत्रेति नये सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वमर्थो लभ्यते । तत्त्वं परमार्थ
સાધુસામથ્ય બત્રીશી