SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધન ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. એવો ઇચ્છાનો અભાવ અને અલ્પધન ગ્રહણ કરવાની ઇચ્છા ઃ એ બે સ્વરૂપ અહીં સંતોષસુખ છે. એ સંતોષસુખને લઇને અર્થીજનોનો સ્વામીને અભાવ પ્રાપ્ત થયો હતો. તેમ જ સ્વામીના પ્રભાવથી જ જીવોને કુશલાનુષ્ઠાનમાં સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ઉત્કટ પ્રયત્ન થયો. તેથી તેવા જનો પણ દાન લેવા માટે ગયા નહિ. આથી સમજી શકાશે કે અર્થી જનોના અભાવના કા૨ણે શ્રી તીર્થંકર૫રમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું. એ દાન કૃણતાદિદોષથી રહિત હોવાથી નિર્દોષ છે. અષ્ટકપ્રકરણમાં (મહાદાનસ્થાપનાષ્ટકમાં) આ અંગે ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે કે - “પ્રભુની મહાનુભાવતા પણ આ જ છે કે જે અર્થીજનો પ્રભુના પ્રભાવથી પ્રાયઃ વિશિષ્ટ સંતોષસુખથી યુક્ત આત્માઓ થતા, તેના યોગે તત્ત્વદર્શી એવા તે ધર્મ કરવામાં તત્પર બનતા. મહાન પુરુષોનું મહત્ત્વ પણ શ્રી તીર્થંકર૫૨માત્માને જ છે અને તેથી જ તેઓશ્રી જગદ્ગુરુ છે.” આ વિષયમાં એવી જે શંકા કરાય છે કે ‘શ્રી તીર્થંકર૫રમાત્માના પ્રભાવથી બધા જીવોને સંતોષ થયો હોય તો પરિમિત પણ દાન કેમ થાય ?' - તે શંકા તો ઉપર જણાવ્યા મુજબની સંતોષવ્યવસ્થાને નહિ સમજવાના કા૨ણે થયેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રી અષ્ટકપ્રકરણની વૃત્તિ(ટીકા)ના રચયિતા પરમર્ષિએ જણાવ્યું છે કે - જો શ્રી તીર્થંકર૫રમાત્માના અનુભાવથી બધા જીવોને સંતોષ થવાથી અર્થી જનોનો અભાવ થાય તો (૩૮૮,૮૦,૦૦,000 આટલી) દાનની સંખ્યા જણાવવાનું યુક્ત નથી. કારણ કે અલ્પ પણ દાનનો સંભવ નથી. આ શંકાના સમાધાનમાં કહેવાય છે – દેવતાશેષ(પ્રસાદી)ની જેમ એક વર્ષમાં ઘણા લાકોએ દાન લીધું હોવાથી મહાદાનને પરિમિતરૂપે વર્ણવ્યું છે, તે યુક્ત જ છે. II૪-૧૫।। દાન આપવાના કારણે જ અકૃતાર્થ હોવાથી પરમાત્મા મહાન નથી જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः । तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ॥४-१६ ॥ - આ આક્ષેપને दानादिति - दानादेव हेतोः । अकृतार्थत्वात् फलविशेषप्रत्याशावश्यकत्वेनासिद्धप्रयोजनत्वाद् महत्त्वं नार्हत इति मन्दधीः कश्चिदाह । तस्येदमुत्तरं - यदुत पुण्यं तीर्थंकरत्वनिबन्धनम् । इत्थमेव दानादिप्रक्रमेणैव । विपच्यते स्वविपाकं प्रदर्शयति । तथा च स्वकल्पादेव भगवतो दानं न तु फलप्रत्याशयेति नाकृतार्थत्वमिति ध्वन्यते । तदिदमाह - " उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मणः । उदयात् सर्वसत्त्वानां हित एव प्रवर्तते ॥१॥” इति । चत्वारो हि भङ्गाः पुण्यपापयोः सम्भवन्ति पुण्यानुबन्धि पुण्यमित्येकः । पापानुबन्धि पुण्यमिति द्वितीयः । पापानुबन्धि पापमिति तृतीयः । पुण्यानुबन्धि पापमिति चतुर्थः । तत्राद्यं मनुष्यादेः पूर्वभवप्रचितं मानुषत्वादिशुभभावानुभवहेतु अनन्तरं देवादिगतिपरम्पराकारणम् । अनन्तरं એક પરિશીલન ૧૪૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy