________________
સ્પર્ધા કરનારા(તેથી પણ ઊંચા) આ બજારમાં વેચાતી વસ્તુઓના આ ઢગલાઓ છે. રત્નોના ઢગલાઓની પ્રભા સૂર્યની પ્રજાને ઓળંગી જાય છે. પુષ્ટ-મોટા મોતીઓના સમુદાયથી રચેલા હારો તારાઓની પ્રભા જેવા દેદીપ્યમાન છે. જેને, આ બધી વસ્તુઓ પોતાની જ છે - એમ સમજીને ઇચ્છા પ્રમાણે ગ્રહણ કરી લોકો જાય છે...” ઇત્યાદિ વર્ણનના આધારે ગૌતમબુદ્ધના દાનની અપેક્ષાએ શ્રી વિતરાગપરમાત્માનું દાન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ૪-૧all
असङ्ख्यदानदातृत्वेन हि बोधिसत्त्वस्य बहुविभूतिमत्त्वकार्पण्याभावादिना परेण महत्त्वं व्यवस्थाप्यते, सङ्ख्यावद्दानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान्न महत्त्वमिति, तच्चायुक्तं, सङ्ख्यावत्त्वस्यान्यप्रयुक्तत्वादित्याशयेन समाधत्ते
અસંખ્ય-અપરિમિત દાન આપવાના કારણે જણાતી શ્રીમંતાઈ અને કૃપણતાની અવિદ્યમાનતા (અભાવ) વગેરેના કારણે બૌદ્ધો બુદ્ધના મહત્ત્વને સિદ્ધ કરે છે અને સંખ્યાવત્ (પરિમિત) દાન આપવાના કારણે જણાતી ગરીબાઈ તેમ જ કૃપતા વગેરેના કારણે શ્રી જિનેશ્વરદેવમાં મહત્ત્વાભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે અયુક્ત છે. સંખ્યા દાન કૃપણતાદિના કારણે નથી, પણ બીજા કારણે છે – એ આશયથી તેરમા શ્લોકમાં જણાવેલી વાતનું સમાધાન કરાય છે
अत्रोच्यते न सङ्ख्यावदानमर्थाद्यभावतः ।
સૂત્રે વરિયા: શ્રતે વિં ત્વટ્ઝમાવતઃ ૪-૧૪ अत्रोच्यत इति-अत्र भगवद्दानस्य सङ्ख्यावत्त्वे । उच्यते । न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । आदिना उदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आह-सूत्रे आवश्यकनियुक्त्यादिरूपे । वरवरिकाया वृणुत वरं वृणुत वरमित्युद्घोषणारूपायाः श्रुतेः । तस्याश्चार्थाद्यभावविरोधात् । किं तु अर्थ्यभावतोऽन्याशयाचकाभावात् । तदिदमुक्तं-“महादानं हि सङ्ख्यावदर्थ्यभावाज्जगद्गुरोः । सिद्धं वरवरिकातस्तस्याः सूत्रे विधानतः ।।१।।” રૂતિ I૪-૧૪
શ્રી વીતરાગપરમાત્માના સંખ્યાવ૬ દાનના વિષયમાં કહેવાય છે - ધન વગેરેના અભાવના કારણે તે સંખ્યાવ(પરિમિત) દાન ન હતું, કારણ કે “વર માગો, વર માગો આ પ્રમાણેની ઉદ્દઘોષણાપૂર્વક એ દાન અપાયું હતું - એમ સૂત્રમાં જણાવ્યું છે; પરંતુ દાનના અર્થીઓના અભાવના કારણે સંખ્યાવપરિમિત દાન થયું હતું.” – આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે વરં વૃધુત વરં વૃધુર આવી ઉદ્ઘોષણાપૂર્વક શ્રી તીર્થંકરપરમાત્માઓ દાન આપે છે – આ પ્રમાણે આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે. જો પરિમિત જ દાન આપવાનું હોય તો તેવી ઉદ્ઘોષણા કરાવી ન હોત - તે સમજી શકાય છે. તેથી માનવું જ રહ્યું કે પરિમિત દાન અર્થ અને ઉદારતાના અભાવના કારણે ન હતું. કારણ કે અર્થ અને એક પરિશીલન
૧૪૭