SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર મેં જણાવ્યું છે. આ ગ્રંથનું તાત્પર્ય áિરાત્રિ (રા' ભા.૧ (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટધોળકા) માં ભાવાનુવાદકારે નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. [આ દોષોનું વારણ “કવિ પદ લગાવવાથી પણ નથી થઈ શકતું. એટલે કે કોક આત્મામાં રહેલા દોષ અને આવરણને પક્ષ તરીકે લેવામાં આવે તો પણ એ દોષ દૂર થતા નથી. (એમાં પણ પૂર્વોક્ત દલીલ જ જાણવી. એટલે કે જો ક્વચિત્ તરીકે અવતરાગ જીવ લેવાનો હોય તો બાધ દોષ અને વીતરાગ જીવ લેવાનો હોય તો અસિદ્ધિ દોષ.) વળી આ આપત્તિ પણ જે દોષ-આવરણ વ્યક્તિઓથી જુદી કરીને પછી એ વ્યક્તિ અંગે આપીએ છીએ એવું નથી. માટે દિગ્ગાગના મતમાં પ્રવેશ થઈ જવાનો પણ પ્રશ્ન નથી. એટલે બાધ અને અસિદ્ધિ દોષ ઊભા જ છે.] યદ્યપિ; આ પૂર્વે જણાવેલા બાધ અને સ્વરૂપાસિદ્ધિ વગેરે દોષોનું વારણ કરવા તોષાવરને, નિઃશેષણનિતિયોગિનાતી તારતવાનિપ્રતિનિત્વ સતિષત્રસ્વમાનવત; અથાત્ દોષ અને આવરણ, નિઃશેષહાનિના પ્રતિયોગીમાં રહેનારી જાતિવાળા છે. કારણ કે તરતમતાવાળી હાનિના એ પ્રતિયોગી છે. દા.ત. વર્તમાન સુવર્ણનો મલ. - આ પ્રમાણે અનુમાન કરવાથી બાધ વગેરે કોઈ દોષ નહિ આવે. કારણ કે કોઈ પણ દોષાવરણમાં (દોષ અને આવરણમાં) નિઃશેષહાનિના પ્રતિયોગી એવા દોષ અને આવરણની જાતીયતા (દોષત્વ અને આવરણત્વ) પ્રસિદ્ધ હોવાથી બાધ નથી આવતો. અને છબ0ના દોષાવરણમાં તારતમ્યવદ્ધાનિપ્રતિયોગિત્વ હોવાથી અસિદ્ધિદોષ પણ આવતો નથી. પરંતુ એ અનુમાનથી તો જે જાતિ સિદ્ધ થશે તે દોષ, આવરણ, સુવર્ણમલ : આ ત્રણમાં રહેનારી જાતિ તરીકે ઔપાધિકત્વજાતિની સિદ્ધિ થશે. તેથી દોષ અને આવરણ માત્રમાં રહેનારી જાતિને સિદ્ધ કરનારાને અર્થાતરદોષનો પ્રસંગ આવશે. ઉપર જણાવેલા અનુમાનથી દોષત્વ અને આવરણત્વ જાતિની જ સિદ્ધિ થાય છે - એમ માની લઈએ તો સુવર્ણમલ સ્વરૂપ દષ્ટાંતમાં દોષતાદિ જાતિ ન હોવાથી દષ્ટાંતમાં સાધ્યવિકલતા આવે છે. આથી સમજી શકાશે કે શોષાવરને નિઃશેષણનિતિયોજિની તારતમ્યવનિરિયાત્રા ઇત્યાદિ અનુમાનમાં પક્ષવિવેચનમાં બાધાસિદ્ધિ દોષનો પ્રસંગ આવે છે, તેનું નિવારણ કરવા તથાપિ વષત્વનાવિરપત્ર..... ઇત્યાદિ ગ્રંથથી અનુમાનનું સ્વરૂપ સ્પષ્ટપણે જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે-તોષનાવરાવંત્ર, નિરપક્ષીયમાગવૃત્તિ, વેશતઃ ક્ષીયમાનવૃત્તિનાતિત્વાર્ સ્વસ્તિત્વવ - આ પ્રમાણે અનુમાનનું તાત્પર્ય હોવાથી કોઈ દોષ નથી. કારણ કે તારતમ્યવહાનિના પ્રતિયોગી એવા દેશથી(અંશતઃ) ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી દોષત્વ અને આવરણત્વ જાતિમાં; દેશથી ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી જાતિમાં વૃત્તિ (રહેનાર) એવું જાતિત્વ છે તેમ જ શ્રી વીતરાગપરમાત્માના નિઃશેષક્ષીયમાણ દોષ અને આવરણમાં પણ દોષત્વ અને આવરણત્વ વૃત્તિ હોવાથી તેમાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ સ્વરૂપ એક પરિશીલન ૧૩૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy