________________
कल्पनीयः । तथा च दोषात्यन्ताभाववदात्मत्वापेक्षया लघौ दोषध्वंस एव महत्पदप्रवृत्तिनिमित्तत्वकल्पनं न्याय्यमिति भावः । वस्तुतः पदप्रवृत्तिनिमित्तमात्रं न पदार्थान्तरकल्पनक्षममिति द्रष्टव्यम् ।।४-८।।
આત્મામાં રહેનારી જ ઘટાદિમાં રહેનારી નહિ) નિત્યનિર્દોષતા મહત્ત્વની પ્રયોજિકા છે. તેનો ઘટાદિમાં અભાવ હોવાથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે - આ પ્રમાણે કહેવામાં કોઈ પ્રમાણ નથી. નિત્યનિર્દોષ પુરુષની કલ્પના કરીને તેમાં મહત્ત્વ માનવું; એના કરતાં તો જે પુરુષના દોષો નાશ પામ્યા છે એમાં જ મહત્ત્વ માનવાનું સારું છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે વીતરો ન મરીન (મહત્ત્વાકાવવાન) નિત્યનિષત્રામાવાત્ આ અનુમાનમાં ઉપર (સાતમા શ્લોકમાં) જણાવ્યા મુજબ ઘટાદિ અન્વયદષ્ટાંતમાં સાધન-હેતુની વિકલતા જણાવી છે. એ દોષનું નિવારણ કરવા માટે આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવને હેતુ માનવો જોઇએ. ઘટાદિમાં રહેનારી નિત્યનિર્દોષતા આત્મામાં રહેનારી નથી. તેથી આત્મામાં રહેનારી નિત્યનિર્દોષતા ઘટાદિમાં ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વનો અભાવ ઘટાદિમાં છે જ. આથી ઘટાદિમાં સાધનની વિકલતાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આત્મામાં નિત્યનિર્દોષતા જ પ્રસિદ્ધ (પ્રમાણસિદ્ધ) નથી. તેથી, સાધનસ્વરૂપ અભાવ(આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષતાભાવ)નો પ્રતિયોગી (આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષત્વ) પ્રસિદ્ધ ન હોવાથી તેના અભાવ સ્વરૂપ સાધનની (હેતુની) પણ પ્રસિદ્ધિ નથી. આથી સમજી શકાશે કે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મદ પદ પ્રસિદ્ધ હોવાથી તે પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વ કોઈ પણ આત્મામાં માનવાનું આવશ્યક છે. તેથી આત્મામાં નિત્યનિર્દોષત્વ અપ્રસિદ્ધ નથી. આશય એ છે કે નીર વગેરે પદોની પ્રવૃત્તિ (પ્રયોગ) જ્યાં નીલરૂપ વગેરે છે ત્યાં થાય છે. તેથી નીલરૂપ વગેરે, જેમ ની પદ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત મનાય છે તેમ મદત પદનું પણ કોઈ એક પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઇએ. કારણ કે પદમાત્ર પ્રવૃત્તિનિમિત્તવાળાં હોય છે. મહત્વ પણ નીના િપદોની જેમ પદ છે. તેથી તેનું પણ કોઈને કોઈ પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઇએ. મદનું પદનું જે પ્રવૃત્તિનિમિત્ત છે; તે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ' છે - આ રીતે મદ પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે આત્મવૃત્તિ - નિત્યનિર્દોષત્વ સિદ્ધ થાય છે. અને તેથી ઘટાદિ અન્વયદષ્ટાંતમાં (નિશ્ચિત-સાધ્ય-મહત્ત્વાભાવવધૂમાં) આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ પણ સિદ્ધ છે – એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ મદનું પદના પ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વને માની તેના આશ્રય તરીકે પુરુષાંતરની કલ્પના કરવા કરતાં જેમના દોષોનો ધ્વંસ થયો છે, તે પુરુષના ધ્વસ્તદોષત્વ' ને જ મદ પદની પ્રવૃત્તિના નિમિત્ત સ્વરૂપે માનવાનું ઉચિત છે. કારણ કે નિત્યનિર્દોષતાભાવ અત્યંતાભાવસ્વરૂપ હોવાથી નિત્યસ્વાદિઘટિત છે. તેથી તેની
૧૩૪
જિનમહત્ત્વ બત્રીશી