SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેથી સંબંધોની પરંપરા ચાલ્યા જ કરશે, જે અનવસ્થાસ્વરૂપ દોષ છે. આથી સમજી શકાશે કે ધર્મ અને ધર્મથી સંબંધને એકાંતે(સર્વથા) ભિન્ન-જુદો) માનવાથી અનવસ્થા આવે છે. આવી જ રીતે ધર્મધર્મીના સંબંધને ધર્મધર્મીથી તદન જ અભિન્ન માનવામાં આવે તો રો થટ: કે રવાન્ ઘટઃ ઈત્યાદિ સહપ્રયોગો(સામાનાધિકરણ્યના સૂચક પ્રયોગો) વગેરેની અનુપપત્તિ થશે. કારણ કે સામાનાધિકરણ્ય (સમાન અધિકરણમાં રહેવું) કથંચિ(કોઈ પણ રીતે) ભિન્ન અનેક પદાર્થમાં હોય છે. સર્વથા અભિન્ન પદાર્થમાં સામાનાધિકરણ્ય હોતું નથી. તેથી જ તો : કે વટવા વટ: આવા પ્રયોગો ઉપપન્ન નથી. આથી સ્પષ્ટ છે કે ધર્મધર્મીના સંબંધને ધર્મધર્મીથી સર્વથા અભિન્ન માનવામાં રહ્યો : કે રહેવાનું થઃ ઈત્યાદિ પ્રયોગો ઉપપન્ન નહિ બને. આ પ્રમાણે એકાંતે ભેદ કે એકાંતે અભેદ પક્ષમાં દોષ સ્પષ્ટ છે. એકાંતાબેદપક્ષમાં થતો ઘટવાન જેમ પ્રયોગ થતો નથી તેમ ર વાન થ૮: ઇત્યાદિ આધાર(ઘટ) આધેય(રક્ત રૂપ) ભાવને જણાવનારા પ્રયોગાદિની પણ અનુપપત્તિ છે, તે સદાયો ધનુરૂપત્તે અહીં કાતિ પદથી જણાવ્યું છે. યદ્યપિ ધર્મ અને ધર્મીના સંબંધને સર્વથા અતિરિક્ત (ધર્મધર્મીથી ભિન્ન) માનવાથી જે અનવસ્થા આવે છે, તેના નિવારણ માટે એ સંબંધને રહેવા જે સંબંધ કલ્પાય છે તે સંબંધ સ્વતઃ સંબદ્ધ છે. તેને રહેવા માટે સંબંધાંતરની કલ્પના કરવાની જરૂર નથી કે જેથી અનવસ્થા આવે. પરંતુ આ રીતે તો વસ્તુની શબલતા (પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનું એક સ્થાને રહેવું) સિદ્ધ થાય છે. સંબંધમાં સ્વતઃ સંબદ્ધત્વ અને પરતઃ સંબદ્ધત્વ માનવાથી શબલત્વ સિદ્ધ જ છે. તેથી વસ્તુમાત્રમાં આ રીતે શબવત્વ માનવું જ ઉચિત છે. એ પ્રમાણે માનવાથી ધર્મધર્મીના સંબંધમાં ધર્મધર્મીથી કથંચિત્ ભિન્નભિન્નત્વ માનવાનું હોવાથી સર્વથા ભિન્નત્વ કે સર્વથા અભિન્ન માનવામાં આવતા દોષો નહીં આવે. કોઈ કોઈ સ્થાને એકાંતે ભેદ કે એકાંતે અભેદનો અનુભવ થતો હોવાથી સર્વત્ર વસ્તુમાં ઉપર જણાવ્યા મુજબ શબવત્વ માનવાની જરૂર નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે સર્વત્ર વસ્તુમાં શબલત્વનો અનુભવ થતો હોવા છતાં એકાંતદર્શનના અત્યંતપરિચયાદિ દોષની પ્રબળતાના કારણે આકાશ અને ઘટ વગેરેમાં એકાંતે નિત્યત્વ અને અનિત્યત્વ વગેરેનો ભ્રમ થતો હોય છે. એકાંતે નિત્યવાદિના બાધક એવા વિશેષ ધર્મનું દર્શન કરાવવા દ્વારા એ ભ્રમને દૂર કરી શકાય છે. સામે રહેલા સ્થાણુ(ઝાડનું થડ)માં પુરુષત્વનો ભ્રમ; શાખાદિના વિશેષ દર્શનથી જેમ દૂર કરી શકાય છે તેમ એકાંતે નિત્યત્વાદિ પક્ષમાં પ્રાપ્ત થતા વ્યવહારબાધાદિ દોષોના દર્શનથી તે ભ્રમ દૂર કરી શકાય છે... આ બધું અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ન્યાયની પરિભાષાથી પરિચિત જિજ્ઞાસુઓએ આ સાથે પ્રકાશિત વિવરણથી ગ્રંથની પંક્તિઓ લગાડવી જોઈએ. આથી જ કેટલીક પંક્તિઓનું આ ગુજરાતી વિવરણમાં તેનું અક્ષરશઃ વિવરણ કર્યા વિના જ વિવરણ કર્યું છે - એ યાદ રાખવું. ૧૨૮ જિનમહત્ત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy