SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ संवादिप्रवृत्तिसम्भवात् । तदुक्तं-“सावज्जजोगपरिवज्जणाइ सव्वुत्तमो अ जइधम्मो । बीओ सावगधम्मो तइओ संविग्गपक्खपहो ।।१।।" योगाख्यो मार्गः संविग्नपाक्षिकाणां नासम्भवी । मैत्र्यादिसमन्वितवृत्तादिमत्त्वेनाध्यात्मादिप्रवृत्त्यबाधाद् । अविकल्पतथाकाराविषयत्वेन नैतद्धर्मो मार्गः “कप्पाकप्पे परिनिट्ठिअस्स ठाणेसु पंचसु ठिअस्स । संजमतववट्टगस्स उ अविगप्पेणं तहक्कारो |” इति वचनात् । साधुवचन एवाविकल्पेन तथाकारश्रवणादिति' चेन्नैतद्वचनबलादन्यत्र लभ्यमानस्य विकल्पस्य व्यवस्थितत्वेन व्याख्यानात् । व्यवस्था चेयं संविग्नपाक्षिकस्य वचनेऽविकल्पेनैव तथाकारोऽन्यस्य तु विकल्पेनैवेति । વિવિત જે સામાવારીપ્રરોડમfમા //રૂ-૨૮ાા “અસંયતને સંયત માનવાથી પાપ લાગે છે – એમ જણાવ્યું છે. તેથી સંવિગ્નપાલિકોનો આ ત્રીજો પણ માર્ગ છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ અસંયત છે તેમને સંયત માનવાથી પાપનો પ્રસંગ આવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે કે અસંયતને સંયત કહેવાથી શ્રમણ પાપશ્રમણ કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પાપશ્રમણીય અધ્યયનના એ પાઠથી અસંયતને સંયત કહેવાથી પાપનો પ્રસંગ આવે છે. અસંયતને અસંયત કહેનારમાં પાપત્યનો ઉલ્લેખ નથી. તેથી સંવિગ્નપાલિકોનો સંયતમાં સમાવેશ શક્ય ન હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ એક માર્ગ છે. સાધુભગવંતો અને શ્રાવકોના આચારને જોઈને જેમ અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્નપાલિકોના પણ શુદ્ધપ્રરૂપણાદિ આચારને જોઇને અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે. અવિસંવાદિ પ્રવૃત્તિને કરાવનારા એ ત્રણે ય માર્ગ (મોક્ષપ્રાપક માગ) છે. એ પ્રમાણે “શ્રી ઉપેદશમાલા'માં જણાવ્યું છે કે સર્વસાવદ્યયોગનું પરિવર્જન હોવાથી યતિધર્મ સર્વોત્તમ છે. ત્યાર પછી બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપાક્ષિકોનો માર્ગ છે. મોક્ષસાધક આત્મવ્યાપારને યોગ કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓને એવા યોગમાર્ગની પ્રાપ્તિ કઈ રીતે સંભવે? કારણ કે તેમને વિરતિનો અભાવ છે. યોગમાર્ગની પ્રાપ્તિ તો વિરતિના સદૂભાવમાં હોય છે. આવી શંકા કરવી ના જોઇએ. કારણ કે સંવિગ્નપાક્ષિકોનું ચિત્ત મૈત્રી, પ્રમોદ આદિથી ભાવિત હોવાથી મૈત્રાદિભાવથી યુક્ત તેમના તે તે શુદ્ધપ્રરૂપણાદિ આચારના કારણે તેમને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે પોતાની ભૂમિકા(યોગ્યતા) મુજબ ઉચિત પ્રવૃત્તિને કરનારા એવા વ્રતને ધારણ કરનારના મૈત્યાદિભાવગર્ભિત શાસ્ત્રાનુસારી જીવાદિતત્ત્વચિંતનને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મનો જ દરરોજ ચિત્તવૃત્તિના નિરોધપૂર્વકનો વધતો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મના કારણે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિનો સંભવ છે, તેમાં કોઈ બાધ નથી. યદ્યપિ વિરતિના કારણે પ્રાપ્ત થનારો યોગમાર્ગ પૂ. સાધુભગવંતોને અને દેશવિરતિધર શ્રાવકોને હોય છે. સંવિગ્નપાક્ષિક મહાત્માઓને એ યોગ ૧૧૮ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy