________________
સખ્યત્વ પ્રકરણ
કરીને ઘરમાં લઈ જઈને વારંવાર દમયંતીની કથા પૂછી દેવીના સ્નેહથી તેને વસ્ત્ર અલંકારો વડે ખુશ કર્યો. ૧૮૦૨ા કહ્યું છે કે પ્રિયજન જે દિશામાં છે તે દિશામાંથી આવેલો કાગડો પણ હર્ષ ઉત્પન્ન કરે છે, તો પછી મોકલાયેલો માણસ તો હર્ષને માટે થાય જ. l૮૦૩ll હવે કુશલ કુંડીનપુર ગયો અને ભીમ રાજાને કબડાનું સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. l૮૦૪lી કુબડાએ આપેલા લાખ ટંકની સુવર્ણની શૃંખલા અને અલંકારો વગેરે બતાવ્યા અને નાટકમાં આચરણ કરેલું તે પણ બતાવ્યું. '૮૦પા દમયંતીએ કહ્યું કે હે તાત ! ખરેખર તે નલ જ છે. આહારના દોષથી અથવા કર્મના દોષથી તેવા પ્રકારના કોઈ કારણથી કુબડો થયો છે. l૮૦૬ll સૂર્યપાક રસોઈનું સામર્થ્યપણું, હાથીની શિક્ષાની નિપુણતા અદ્ભુત દાન, નળ વગર બીજામાં સંભવી શકતું નથી. ll૮૦થી તેથી હે પિતાજી કોઈ પણ પ્રકારે તે કુબડાને અત્રે લવડાવાય. જેથી હું તેના ભાવને જાણનારી તેવા તેવા પ્રકારની પરીક્ષા કરું. l૮૦૮ોભીમ રાજાએ કહ્યું કે હે પુત્રી ! તારા ખોટા સ્વયંવરના બહાને દધિપર્ણ રાજાને બોલાવીએ. ll૮૦૯ વિષ્ણુ જેમ લક્ષ્મીને વિષે તેમ પહેલાં પણ તારા પર અનુરાગી એવો તે તારા સ્વયંવરને સાંભળીને હમણાં જ જલદીથી આવશે. l૮૧૦મા તેની સાથે જ કુબડો પણ નિચ્ચે અત્રે આવશે જ; કેમ કે ફરીથી તારા સ્વયંવરને તે નળ સહન નહીં કરી શકે. II૮૧૧ી અશ્વના હૃદયને જાણનાર નળ છે, તેની પ્રેરણાવાળા ઘોડાઓ ઝડપથી સ્પર્ધા માટે સ્વામીના મનની સાથે દોડશે. ll૮૧૨ા સવારમાં સ્વયંવર થશે એ પ્રમાણે આજે સમાચાર મોકલતે છતે જે સવારના આવે તે નળ જ છે, એમ જાણવું. II૮૧૩ll.
હવે ભીમ રાજાએ દૂતને ત્યાં મોકલ્યો. તે સુસુમારપુરમાં ચૈત્ર સુ. ૪ના પહોંચ્યો. l૮૧૪ સભામાં જઈને ત્યારે જ દધિપર્ણ રાજાને કહ્યું કે હે દેવ ! દમયંતીનો સ્વયંવર ફરીથી સવારના થશે. ll૮૧પી તે સાંભળીને ત્યારે રાજાએ વિચાર્યું કે અતિ ઈચ્છાયેલી દમયંતી મારે મનમાં છે. હું કેવી રીતે ત્યાં જઉં ? જો પક્ષી હોત તો જઈ શકું. ll૮૧કા કુબડાએ વિચાર્યું. દમયંતી પોતાના શીલને ક્યારે પણ મૂકશે નહિ જ. અને કદાચ મૂકે તો યુગાન્તકાળ વિના પણ સમુદ્રો મર્યાદાને મૂકશે. ll૮૧૭ી અસંભવિત એવું દમયંતીનું મન કદાચિતુ ચલાયમાન થાય તો પણ મારા જીવતે છતે તેને લેવાને માટે કોણ સમર્થ છે ? ll૮૧૮ છ જ પ્રહર છે તો પણ હું દધિપર્ણ રાજાને ત્યાં લઈ જઉં. તેની સાથે મારે પણ પ્રસંગથી જવાનું થાય. I૮૧૯ો હવે તેણે (કુબડા એવા નળે) તેને (દધિપર્ણ રાજાને) કહ્યું કે, ક્લેશ ન કરો. નિદાનને કહો અર્થાત્ શું કરવાની ઇચ્છા છે ? તે નિર્ણયને કહો. કોઈ વડે દૃઢ રીતે નિયંત્રિત કરેલાનું અને પાછળથી જે કોઈ વડે સ્વીકાર કરવા માટે એકવાર મૂકાયેલાનું મૂલ્ય કરવા માટે શક્ય નથી અર્થાતુ ગમે તેટલો પણ ધનવ્યય કરવો પડે તો ય કરીને તમારા જેવા વડે મેળવવા યોગ્ય જ છે. l૮૨lી રાજાએ કહ્યું કે નળે સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે. (મરી ગયો છે.) તેથી દમયંતીનો ફરી કાલે જ સ્વયંવર છે. તેથી મને ખેદ થયો છે. ll૮૨૧I કાળ થોડો જ છે, માર્ગ ઘણો જ દૂર છે. દૂત પણ ઘણા દિવસો બાદ આવ્યો છે. તેથી ભેમી માટે હું કેવી રીતે ત્યાં જઈશ ? એટલે મારું મન ખેદવાળું છે. ll૮૨રો કુબડાએ કહ્યું, ખેદથી સર્યું. હે રાજન મને રથ અને તે ઘોડો અર્પણ કરો તો તેનાથી હું સવારના જ કુંડિનપુર પહોંચાડું. II૮૨૩ી દેવ કે વિદ્યાધર આ છે, સામાન્ય માણસ નથી. આ પ્રમાણે રાજાએ વિચારીને તેના કહ્યા પ્રમાણેનો રથ તેને આપ્યો. I૮૨૪l કુબડાએ જાતિવંત અશ્વથી યુક્ત રથને તૈયાર કરીને રાજાને કહ્યું કે અહીં આરૂઢ થાઓ, દિવસનો ઉદય તમારે કુંડિનપુરમાં થશે. l૮૨પા છડીદાર, છત્રધાર, રાજા, બે ચામરધારી આ પાંચ અને કુબડો છઠ્ઠો રથમાં બેઠા. ll૮૨કા હવે રથના