SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સમ્યક્ત્વ પ્રકરણ ત્યારે કાંઈક નિદ્રામાં રહેલી દેવી વડે વર્ણરાશીમાં સ્વરોની જેમ સ્વપ્નમાં ઉત્તમ એવા વૃષભ, હાથી, સિંહ, અભિષેક કરાતી લક્ષ્મીદેવી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, પૂર્ણકળશ, શ્વેતધ્વજ, પાસરોવર, સમુદ્ર, વૈમાનિક દેવોનું વિમાન, રત્નનો ઢગલો અને અગ્નિ - આ પ્રમાણે ચૌદ સ્વખો મુખરૂપી કમળમાં પ્રવેશ કરતા જોવાયા. Iક-૭-૮ નિદ્રા દૂર થયે છતે તેણીએ તે સ્વપ્નોને નાભિ રાજાને કહ્યા અને પ્રમોદને ભજનાર રાજાએ પણ તેણીને અતિ ઉત્તમ પુત્રની પ્રાપ્તિનું નિવેદન કર્યું. ત્યાં ત્યારે જ એકસાથે આવીને ચલાયમાન થયેલા આસનવાળા ઈન્દ્રોએ સ્વપ્ન પાઠકની જેમ દેવીના સ્વપ્નના અર્થને કહ્યો. ||૧૦|હે દેવી, આ ચૌદ મહાસ્વપ્નો ચૌદ રાજલોક પ્રમાણ લોકમાં તારા પુત્રના સ્વામીપણાને કહે છે. //૧૧હે માતા ! જગતના સ્વામી એવા આ જ તારા પુત્ર માતૃકા બીજસમાન ચૌદ પૂર્વોને ઉપદેશશે. I/૧૨ અને આના શિષ્યો ચૌદ પૂર્વધર થશે તથા આ ચૌદ ચતુર્દશકોને કહેશે. ૧૩ એ પ્રમાણે સ્વપ્નના અર્થને જણાવીને સર્વે પણ ઈન્દ્રો વિસર્જન કરાયેલા સેવકોની જેમ પોતપોતાના સ્થાને ગયા. ૧૪ તે ઈન્દ્રો વડે કહેવાયેલા સ્વપ્નના અર્થને સાંભળીને દેવી હર્ષને પામી, નાભિ રાજા પણ પ્રીતિને પામ્યા અથવા કહેવાયેલું ઈષ્ટ કોના હર્ષને માટે ન થાય ! ૧પ ક્રમથી દિવસો પૂર્ણ થયે છતે ચૈત્ર માસની કૃષ્ણાષ્ટમી તિથિએ રાત્રિમાં દેવીએ યુગલધર્મી એવા પુત્રને જન્મ આપ્યો. ૧કા અચેતન પણ દિશાઓ ત્યારે હર્ષિત થયેલાની જેમ પ્રસન્ન થઈ તો વળી ચેતનાવાળા લોકોનું તો શું કહું ? ||૧ીત્યારે સુખ સ્પર્શવાળા વાયુ પણ ક્યાંય પણ નહીં જોયેલા આવા પ્રકારના પ્રભુને જાણે જોતા મંદ મંદ વાતા હતા. I૧૮ી ત્રણ જગતમાં ઉદ્યોત થયો. આકાશમાં દુંદુભિ વાગી, નારકો પણ હર્ષિત થયા અને ભૂમિએ પણ ઉચ્છવાસને પ્રાપ્ત કર્યો. ૧૯ો અધોલોકમાં વસનારી, કંપાયમાન થયેલા આસનવાળી આઠ દિકુમારીઓ અરિહંતના જન્મને અવધિજ્ઞાનથી જાણીને સૂતિકા ઘરમાં આવી. ૨૦ ભોગંકરા ભોગવતી, સુભોગા, ભોગ-માલિની, સુવત્સા, વત્સમિત્રા પુષ્પમાલા અને અનિંદિતા આ આઠ કુમારીઓએ પ્રભુને અને તેની માતાને નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં સૂતિકાગૃહને કર્યું અને ઘરથી યોજન પ્રમાણ ભૂમિને સંવર્તક વાયુ વડે શુદ્ધ કરી. //ર૧-૨૨ી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા અને બલાહકા આ આઠ કુમારીઓ ઊર્ધ્વલોકથી આવીને માતા સહિત અરિહંતને નમીને ત્યાં હર્ષથી સુગંધી પાણી અને પુષ્પના સમૂહની વર્ષાને કરી. ૨૩-૨૪ો હવે નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતિ અને અપરાજિતા - આ આઠ કુમારીઓ પૂર્વરચક પર્વતથી આવીને પહેલા જિનને અને જિનની માતાને નમીને દર્પણ છે હાથમાં જેઓને એવી તે પૂર્વ દિશામાં રહી. રપ-૨વા સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા - આ આઠ કુમારીકાઓ દક્ષિણ રુચકથી આવીને માતા સહિત દેવને પ્રણામ કરીને કલશ છે હાથમાં જેઓને એવી તે દક્ષિણ દિશા વડે રહી. l૨૭-૨૮ ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્મવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા એ પ્રમાણેનાં નામવાળી આઠ કુમારીકા પશ્ચિમ રુચક પર્વતથી આવીને પંખા છે હાથમાં જેઓને એવી તે સ્વામીને અને મરુદેવીને નમીને પશ્ચિમ દિશા વડે રહી. ૨૯-૩૦ll અલબુસા, મિત્રકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી આ આઠ કુમારીકાઓ ઉત્તર રુચક પર્વતથી ત્યાં આવીને જિનને અને જિનની માતાને નમસ્કાર કરીને ગ્રહણ કરેલા ચામરવાળી અને અત્યંત હર્ષિત થયેલી ઉત્તર દિશા વડે બેઠી. ૩૧-૩રો. • સ્વપ્ન લક્ષણ પાઠક નથી. તેથી નાભિ કુલકર સ્વયં સ્વપ્નના અર્થને કહે છે. - કલ્પસૂત્ર
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy