SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યરક્ષિતસૂરિ ' ૨૧૭ હવે આર્યરક્ષિત ગુરુ એક ગામથી બીજા ગામ, એક નગરથી બીજા નગરમાં પૃથ્વીતલ ઉપર વિહાર કરતા મથુરા નગરીમાં ગયા. ll૧૮૯તા તેમાં વિશાલ, એકાંત એવા યક્ષના ગુફા ચૈત્યમાં આર્યરક્ષિતસૂરિ સમવસર્યા. TIકoll આ બાજુ સૌધર્માધિપતિ, મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર જિનેશ્વરને વંદન કરવાને માટે ગયા. I૯૧ી ત્યાં પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! નિગોદો કેવા પ્રકારની હોય છે ? ભગવાને પણ સંપૂર્ણ તેનું સ્વરૂપ કહ્યું. IIકરી વળી ફરીથી પૂછ્યું કે હે સ્વામી ! ભારતમાં કોઈક છે જે પૂછાયેલાને કુશાગ્ર બુદ્ધિવાળા તે આવા પ્રકારનું નિગોદનું વર્ણન કરી શકે. II૯૩ અરિહંતે કહ્યું કે હે ભો ! ત્યાં આર્યરક્ષિતસૂરિ છે. તે બુદ્ધિરૂપી ધનવાળા શ્રુતજ્ઞાની મારી જેમ આવા પ્રકારનું જ વ્યાખ્યાન કરે છે. ૧૯૪ો વિસ્મયથી ઈન્દ્ર વિચાર્યું, સ્વયં તીર્થકર જેને આવા પ્રકારના કહે છે તે દિવ્ય જ્ઞાનવાળા સૂરિ કેવા પ્રકારના છે ? Iક૯પી ત્યારે ત્યાં જ વૃદ્ધ બ્રાહ્મણ રૂપને ધારણ કરતા ત્યાં આવ્યા. સાધુના નિવાસસ્થાન રૂપ વસતિમાં તેણે પ્રવેશ કર્યો. Iકવા અભિવંદન કરીને ગુરુને કહ્યું કે હે પ્રભુ! હું વ્યાધિથી પીડાયેલો છું. હજુ પણ કેટલું આયુષ્ય છે તે હે દયાનિધિ ! નિવેદન કરો (બતાવો). II૧૯૭ી મોક્ષનો અર્થી જેમ ભવભ્રમણથી કંટાળે તેમ હું જીવિતથી કંટાળેલો છું. હું અનશનને કરું છું. જેથી દુઃખોને લઈને મારા પ્રાણી જાઓ. ૯૮ તે સાંભળીને વિચારતાં અર્થીના મનોરથની જેમ પ્રવર્ધમાન થતાં અધિકાધિક આયુષ્યને જોઈને સૂરિએ વિચાર્યું કે ભરતમાં તો આટલું આયુષ્ય નથી, મહાવિદેહમાં ઉત્પન્ન થયેલાનું પણ નથી. વ્યંતરમાં પણ આટલું આયુષ્ય નથી. Hડ૯૯-૭00 પલ્યોપમને પણ ઉલ્લંઘીને બે સાગરોપમમાં આ સ્થિત થયું. તેથી નિચે તેટલા આયુષ્યવાળા આ ઈન્દ્ર જ છે. ll૭૦૧II હવે ભવાં ચડાવીને તે દેવને કહ્યું કે એ વૃદ્ધ બ્રાહ્મણના વેષને ભજનારા આપ શક્ર (ઈન્દ્ર) છો. II૭૦૨ા તેમના જ્ઞાનથી ઈન્દ્ર ચમત્કાર પામ્યા. પોતાના મૂળ સ્વરૂપે દિવ્ય અલંકારવાળા ઈન્દ્ર થયા. ll૭૦૩ll ગુરુને નમીને મોટી ભક્તિવાળા (ઈન્દ્ર) સીમંધર જિનની પાસે કરેલા પ્રશ્ન અને ઉત્તર વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. |૭૦૪ નિગોદનું સ્વરૂપ ઈન્ડે પૂછ્યું. તેમની વાણી રૂપી અમૃતને પીવા માટે બંને કાનો ઉત્કંઠિત થયા. I૭૦પા હવે આર્યરક્ષિતસૂરિએ નિગોદનું વર્ણન સીમંધર પરમાત્માએ કહેલાના અનુવાદની જેમ જ કર્યું. ll૭૦૬ો ત્યારે વિષથી ઈન્દ્ર આનંદવાળા થયા. અદ્દભૂત શ્રુતજ્ઞાનનું વર્ણન કરતા તેમને વંદન કર્યા. હે પ્રભો ! આ ક્ષેત્ર ધન્ય છે. જ્યાં આપ જ્ઞાનરૂપી લોચનવાળા સર્વજ્ઞના પ્રતિનિધિ સમાન તત્ત્વોને પ્રકાશો છો. I૭૦૭-૭૦૮ી આ પ્રમાણે સાંભળીને અત્યંત અહોભાવથી ગુરુને વંદન કરીને ઈન્દ્ર દેવલોક તરફ પ્રયાણ કર્યું, ત્યારે ગુરુએ ઈન્દ્રને કહ્યું કે તમારું આગમન સાધુઓને બતાવો. કેમ કે તમારા દર્શન થતા ધર્મમાં સુદઢ આશયવાળા તેઓ થશે. ll૭૧૦ વળી હે ઈન્દ્ર ! પહેલાં પણ સાધુઓએ મારી આગળ વારંવાર પ્રાર્થના કરી હતી કે તમો આવતા ઈન્દ્રને બતાવવાની અમારા ઉપર મહેરબાની કરો. II૭૧૧ઈન્ટે કહ્યું કે હે પ્રભુ ! અલ્પસત્ત્વપણાથી ખરેખર મને જોઈને તેઓ નિયાણાને કરશે. તેથી મારું દર્શન ન જ થાય તે શ્રેષ્ઠ છે. I૭૧૨ll ત્યારબાદ ગુરુએ કહ્યું કે જો એમ જ છે તો હે ઈન્દ્ર! પોતાના આગમનનું કંઈક ચિહ્ન કરીને પછી તમે જાઓ. II૭૧૩ ત્યારે સાધુઓએ વસતિ કરેલું જે યક્ષની ગુફાનું ચિત્ય તેના મુખ્ય દ્વારનું મુખ અન્ય દિશામાં કરીને ઈન્દ્ર સ્વર્ગે ગયો. l૭૧૪ વિહાર કરીને વસતિમાં પાછા ફરેલા સાધુઓ ત્યારે મુખ્ય દ્વારને નહિ જોતાં સંભ્રાન્ત ચિત્તવાળા મૂઢ થયા. ૭૧પ જ્ઞાન વડે તે લોકોને આવેલા જાણીને ગુરુએ કહ્યું. અરે, હો ! આ રસ્તા વડે આ બાજુ દ્વાર છે. ll૭૧કા આવેલા સાધુઓએ પૂછ્યું કે હે પ્રભો ! આ એકાએક કેવી રીતે ફેરફાર થઈ ગયો ? ત્યારે ગુરુએ, આવેલા શક્ર આ પ્રમાણે કરીને ગયા,
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy