SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સમ્યક્ત્વ પ્રકરણ પણ ત્રણ વર્ષના વજને ત્યાં જ સમસ્ત જનની સાક્ષીએ દીક્ષિત બનાવ્યો. ર૩પા હીરાના નિધાનની જેમ તે વજને લઈને ગુરુઓ પણ કૃતકૃત્ય થયેલા પોતાના ઉપાશ્રયમાં આવ્યા. ર૩વા ત્યારબાદ સુનંદાએ પણ પુત્રના પ્રેમથી પોતાના ધનને સાતક્ષેત્રમાં વાપરીને તેઓની પાસે જ વ્રતને ગ્રહણ કર્યું. ર૩૭ી હજુ વિહારમાં અસમર્થ એવા બાલમુનિ વજને ત્યાં જ મૂકીને ગુરુઓએ અન્યત્ર વિહાર કર્યો. l૨૩૮ આઠ વર્ષના વજ મુનિ થતાં ગુરુઓએ તેમને સાથે લઈને એક વખત ઉજ્જયની નગરી તરફ વિહાર કર્યો. ર૩૯iા જતાં એવા વચમાં જ મુશળધાર વરસાદ વરસ્યો અને મુશળધાર વરસાદ વરસવાથી પૃથ્વીએ સમુદ્રનું આચરણ કર્યું. (ચારે બાજુ પાણી પાણી) Il૨૪૦ના પાણીના ઉપદ્રવથી ડરેલા ગુરુઓ જલરહિત એવા યક્ષના મંદિરમાં પરિવાર સહિત રહ્યા. ll૧૪૧ી ત્યારે તે પ્રદેશમાંથી જતા જંભક નામના દેવોએ પોતાના પૂર્વજન્મના મિત્ર એવા વજસ્વામીને જોયા. ર૪રા તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે ત્યારે ઈચ્છિતને કરનારા દેવોએ ધાન્યવાળા વણિકના સાર્થને વિદુર્યો. ૨૪all હવે વૃષ્ટિ અટકતે છતે તે જંભક દેવોએ પંચાંગ પ્રણિપાત વડે ગુરુના ચરણ કમલમાં નમીને કહ્યું કે હે પ્રભો ! વજ બાલમુનિને હમણાં વહોરવા માટે - જેથી અમારા સંવિભાગ વ્રતનું અનુપાલન થાય. ૨૪૪-૨૪ો ગુરુએ પણ વજને આદેશ કર્યો કે હે વત્સ ! જલ્દીથી જા. આ લોકોને સમાધિ આપ. દાનથી આ લોકો કલ્યાણ મેળવો. ર૪૩ી આવશ્યક કરીને પાત્રાને લઈને હંમેશાં સમિતિ-ગુપ્તિમાં સારી રીતે ઉપયોગ પરાયણ તે પણ બહાર નીકળ્યા. //ર૪૭થી અતિ સૂક્ષ્મ પરિણામથી લીખથી પણ અત્યંત નાના એવા આકાશમાંથી પડતા પાણીના ટીપાંઓને તેણે જોયા. ૨૪૮અપૂકાયની વિરાધનાથી ચેતનવંત જેમ અંગારાથી, મુનિ જેમ શૃંગારથી ભયભીત થયેલા પાછા ફરે તેમ જલ્દીથી ડરેલા તે પાછા ફર્યા. ૨૪૯ સૂક્ષ્મ પણ વૃષ્ટિને સંહારીને દેવોએ ફરીથી આદરપૂર્વક વજમુનિને બોલાવ્યા. ર૫oll તેઓના આગ્રહથી સિદ્ધિમાર્ગના એક સાર્થવાહ એવા તે બાલમુનિ ચાલ્યા અને સાર્થપતિના આવાસમાં ગયા. ર૫૧// અતિ આદરવાળા તેઓને જોઈને બુદ્ધિશાળી પિંડાદિ શુદ્ધિને જાણનારા એવા તેમણે દ્રવ્ય વગેરેનો ઉપયોગ મૂક્યો. રપરી વર્ષાઋતુના આરંભમાં કોળાનું દ્રવ્ય કેવી રીતે ? કર્કશ એવા અવંતિ દેશ જેવા ક્ષેત્રમાં આ દાન આપવા માટેના શ્રાવકો ક્યાંથી ? રપ૩ll ભાવથી ખુશખુશાલ થયેલા ઘણા સંભ્રમવાળા દાતારો ક્યાંથી ? આ લોકો જમીન પર પગ મૂકનારા નથી, અદ્ધર ચાલે છે અને આંખ પણ બંધ ઉઘાડ થતી નથી. તેથી તેઓ દેવ જ છે, માયાપૂર્વક વાણિયા થયા છે. તેથી તેઓની આ ભિક્ષા અકથ્ય છે. એ પ્રમાણે બોલતાં તેમણે ભિક્ષા ગ્રહણ ન કરી. રપ૪-૨પપ ખરેખર સાધુઓને દેવપિંડનો નિષેધ હોવાથી તે કલ્પતો નથી. તેથી ચમત્કાર પામેલા દેવોએ પ્રત્યક્ષ થઈને તેમને કહ્યું કે વજઋષિ ! અમે પૂર્વભવના તમારા જંભક દેવો મિત્રો છીએ. મિત્રપણાથી તમને જોવાને માટે અમે અહીં આવ્યા છીએ. રિપક-૨૫૭ી બાળક એવા પણ મહાબુદ્ધિશાળી તમારી ક્રિયાથી તુષ્ટ (ખુશ) થયા છીએ. અમારી પાસેની આ વેક્રિય લબ્ધિને મહેરબાની કરીને ગ્રહણ કરો. રપ૮ ચિર (ગાઢ) સ્નેહરૂપી વૃક્ષના ફળ સમાન તે વિદ્યાને આગ્રહથી વજ ઋષિને આપીને દેવતાઓ પોતાના સ્થાને ગયા /રિપો એક વખત જેઠ મહિનામાં બહાર ભૂમિ ગયેલા વજને ફરીથી તે દેવો વાણિયા થઈને ઘીથી પૂર્ણ એવા દ્રવ્યો વડે નિમંત્રણા કરી. (વિનંતિ કરી.) પુરક તેવા પ્રકારના તે દેવપિંડને જાણીને વજમુનિએ તે ગ્રહણ કર્યો નહિ. કેમ કે મુનિઓ મુનિચર્યામાં ક્યારે પણ પ્રમાદવાળા હોતા નથી. ર૬૧ી પ્રીતિવાળા દેવમિત્રોએ ત્યારે વજને આગ્રહ કરીને આકાશગામિની વિદ્યા આપીને તેઓ પોતાના સ્થાને ગયા. //રકરા ગચ્છવાસમાં
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy