SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઈલાપુત્ર કથા સમાન છે. ll૩રા જો તેને આ નદી ઉપર રાગ છે તો નટ થઈને અમને મળે અને અમારી શિલ્પવિદ્યાને શીખે. li૩૩ી. ત્યારબાદ પૂર્વભવના સંબંધથી તેના ઉપરના અત્યંત રાગવાળા તેણે જનઅપવાદ અને કુલમર્યાદા તેમજ લજ્જાને અવગણીને જલ્દીથી તેઓને મળ્યો. અલ્પબુદ્ધિવાળો તેની જાતિ જેવો થઈને તેઓથી પણ અધિક વિદ્યાને જલ્દીથી ભણ્યો. ૩૪-૩૫ll હવે નટોએ તેને બોલાવીને કહ્યું કે ઈલાપુત્ર ! તું હમણાં પહેલાં ઘણું ધન મેળવીને પછી આ નટીને પરણ. /૩૬ll હવે તે તેઓના વચનને સ્વીકારીને નટના સમુદાયની સાથે ધન મેળવા માટે અને નટીને પરણવા માટે બેન્નાતટ પુર (નગર) ગયો. ૩૭માં તેની તે વાતને જાણીને કૌતુકથી રાજાએ તેને બોલાવીને કહ્યું. આવતી કાલે તારે મારી આગળ નાટક કરવા યોગ્ય છે. ૩૮ પોતાની સર્વ સામગ્રીની સાથે ઈલાપુત્ર ત્યાં આવ્યો. રાણીની સાથે નાટક જોવા માટે રાજા પણ ત્યાં બેઠો. ૩૯થી ત્યાં નટોએ પૃથ્વીના તળીયામાં દોરડાથી ચારે બાજુએ ગાઢ બાંધીને અત્યંત ઉચો (આકાશને અડકનાર) એક વાંસ મૂક્યો. ૪૦ણી તેના ઉપર મોટા લાકડાનું પાટીયું મૂક્યું. તેની અંદર બે બે લોખંડની ખીલીઓ નાખી. I૪૧ાાં નાટક જોવા માટે લોકોને જાણે કે બોલાવવા માટે એકીસાથે મોટા અવાજે વાજિંત્રો વગડાવ્યા. ll૪રાઈ ત્યારબાદ ઈલાપુત્ર હાથમાં તલવાર અને ઢાલને લઈને અને પગમાં છિદ્રવાળી પાદુકાને પહેરીને તે વાંસ પર ચઢ્યો. ૪૩ ગાનાર સમૂહના મધ્યમાં રહેલી તે નટકન્યા વાંસના મૂળ પાસે રહી અને અદ્દભૂત એવા ગ્રામરાગના સ્વરથી ગાવા લાગી. ll૪૪ો જોનારાઓના હૃદયની સાથે ત્યારે ઈલાપુત્ર વાંસની ટોચે તલવાર અને ઢાલને નચાવતો, ૭ પગલા પાછળ ખસતો વળી સાત પગલા આગળ આવતો, ખીલામાં પાદુકાના છિદ્રને કરતા તેણે જુદા જુદા તેજવંત પેલોને કર્યા. ૪૫-૪વા તેથી તેના આ અત્યંત ટોચકક્ષાના નૃત્ય વડે લોક તેવી રીતે ખુશ થયું. જેમ કે સઘળું ય આને દાનમાં આપી દઈએ એવી બુદ્ધિ થઈ. ૪૭ી તે મહાત્માને રાજા વડે શું દાન અપાય છે ? તેની રાહ જોતા લોકોએ દાનની વસ્તુને પરાણે હાથમાં પકડી રાખી. I૪૮ તે નટીને જોઈને તેનામાં અનુરાગી થયેલા રાજાએ વિચાર્યું કે જો આ પડીને મરી જાય તો આ નટીને હું પરણી શકું. II૪૯ ઈલાપુત્રને કપટથી રાજાએ કહ્યું કે મારા વડે આ નાટક સારી રીતે જોવાયું નથી, માટે ફરીથી કર. પછી સર્વે લોકો વિલખા થયા અને શ્યામ મુખવાળા ઈલાપુત્રે લોભથી ફરીથી તેવા જ પ્રકારે કર્યું. ત્યારબાદ સર્વે લોકોએ પણ રાજાની દુષ્ટતાને વિચારી. //પ૧-પરા દ્રવ્યના લોભથી ઈલાપુત્રે ફરીથી પણ તેવા જ પ્રકારનું નાટક કર્યું. લોભથી મૂચ્છળ થયેલા લોકો શું વારંવાર એક કાર્ય નથી કરતા ? /પ૩ll હવે રાજાએ વિચાર્યું કે અદ્ભુત એવા દઢ અભ્યાસથી આ ત્રીજી વખત પણ પડ્યો નહિ. //પ૪ો દુષ્ટ મનવાળા રાજાએ ફરીથી તેને કહ્યું કે જો તું ચોથી વાર નાટક કરીશ તો હું તને ધન આપીશ. //પપા તે સાંભળીને સર્વ લોકો રાજા ઉપર વિરાગી થયા. સાક્ષાત્ તેને આક્રોશ આપવા માટે પ્રવૃત્ત થયા. પડો ત્યારે ઈલાપુત્રે પણ રાજાના દુષ્ટ આશયને જાણી લીધો. નટીમાં લુબ્ધ એવો આ રાજા ખરેખર (નિચ્ચે) મારા મૃત્યુને જ ઈચ્છે છે. પ૭ll તે જ વખતે વંશના અગ્રભાગમાં રહેલા તેણે સામેના કોઈક ધનવાનના ઘરમાં ભિક્ષાને માટે આવેલા સાધુને જોયા. //પટા બાહુમાં ધારણ કરેલા કંકણવાળી, ઝાંઝરવાળી, કંદોરાની ઘુઘરીઓના અવાજવાળી, જોતાં જલ્દીથી મનમાં કામરૂપી રાજાને જગાડતી એવી, પુષ્ટ અને ઉંચા સ્તનવાળી, મનોહર, લટકતી મોતીઓની માળાવાળી, દાન આપવા માટે સંભ્રમથી સરકી પડેલ વસ્ત્રવાળી, મુખથી બોલતી, દેદીપ્યમાન શૃંગારરસવાળી, પદ્મિની સ્ત્રીએ આદરપૂર્વક વિવિધ પ્રકારના કિંમતી આહારને આપવાને માટે લ્યો લ્યો
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy