SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળદેવ કથા ૧૫૭ તે કર. /૧૫પા અચલે તેને છોડીને કહ્યું, તને હું શું કહું ? ગુણના ઘર સમાન પણ ભાગ્યયોગથી આવા પ્રકારના સંકટને તું પામ્યો છે. ll૧૫ડા તેથી તે ખેદ ન પામ. જે કારણથી સૂર્ય પણ દુર્ભાગ્યથી નાના એવા રાહુથી ગ્રસાય છે. ૧૫ હે મહાત્મન્ ! હું તને છોડી દઉં છું. હમણાં તારું કલ્યાણ થાઓ, ક્યારેક પણ સંકટના સમયમાં તું મારી પણ રક્ષા કરજે. ૧૫૮ તેનું વચન સ્વીકારીને મૂળદેવ ત્યાંથી નીકળ્યો. તેના અપમાનથી પીડા પામેલ તેણે ચિત્તમાં આ વિચાર્યું. I૧૫૯ll અપમાનથી મ્યાન થયેલા પોતાના મુખકમલને હું મિત્રતાવાળા નગરજનોને અહીં કેવી રીતે બતાવીશ ? ૧૭lી આ પ્રમાણે વિચારીને કર્તવ્ય-અકર્તવ્યમાં પરાભુખવાળા તેણે તે જ ક્ષણે બેન્ના તટ તરફ પ્રયાણ કર્યું. ll૧૯૧૫ મૂળદેવના પરાભવથી સૂર્યાસ્ત થવાથી (સૂર્યના અંધકારથી) પાપી એવા રાક્ષસીની જેમ અક્કા અત્યંત ખુશ થઈ. ૧૯૨ા ત્યારે જ વળી દેવદત્તાએ પ્રાણેશ્વરને વિડંબના આપનાર અચલને જોઈને વજધારાની જેમ તેના પ્રત્યે કોપ કર્યો. ll૧૯૩ll ત્યારબાદ અર્ધા જ્ઞાનવાળા અચલને છોડીને રોષથી (ગસ્સાથી) પ્રવાસે ગયેલ પ્રિયતમને જાણીને દેવદત્તા જલદીથી રાજા પાસે ગઈ. ll૧૬૪ રાજીએ પણ કહ્યું કે હે કલ્યાણકારી ! શૂન્ય મનવાળાની જેમ તું કેમ દેખાય છે ? શું કોઈકના પણ અપમાનથી ? અથવા તો શું ઈષ્ટના વિરહથી પીડા પામેલ છે ? I૧૯પા તેણીએ કહ્યું, હે દેવ ! નૃત્ય કરતી એવી મને તમે જ્યારે વરદાન આપ્યું હતું. ત્યારે મારી પડખે જે તબલા વગાડનાર પુરુષ હતો. ૧૯કા તે હે દેવ ! તે પાટલી પુત્ર રાજા શંખધવલના પુત્ર મૂળદેવ નામના હતા. તે કલાના કુલઘર હતા. ૧૯શા પોતાના અપમાનથી તે સ્થાનને છોડીને ગુણિના સમૂહમાં અગ્રેસર ક્યાંય પણ કોઈ પણ નગરીને અલંકૃત કરતા હશે. ll૧૩૮ ગુણને ગ્રહણ કરનારી હું હે સ્વામિ ! તે ગુણાલયમાં અત્યંત રાગી છું. નોકરની જેમ આજે અચલે જ તેમનો પરાભવ કર્યો છે. I/૧૯૯ો હે સ્વામિ ! તેની સાથે મારે શરીરથી જ ભિન્નપણું છે અને તેથી તે દુઃખથી પીડાયેલી આવા પ્રકારની હું છું. /૧૭૦Iી તે રાજપુત્રના અપમાનને સાંભળીને રાજાએ ક્રોધથી અચલને બોલાવીને તે વૃત્તાંતને પૂછીને કહ્યું કે, અરે દુષ્ટ ! શું તું આ નગરનો સ્વામી છે ? અથવા તો લક્ષ્મીના મદ વડે મદોન્મત્ત બનેલો તું અમાત્ય આદિની અવગણના કરે છે ? I/૧૭૧-૧૭૨ી કોઈને પણ નહિ જણાવીને આવા પ્રકારનો સ્વયં જે દંડ તેં કર્યો છે. તેથી તું આ કળાના ભંડાર રાજપુત્રનો અપરાધી છે. I/૧૭all આવા પ્રકારના અપરાધી એવા તારા સર્વસ્વનું હરણ કરીને તારો દંડ વધ જ છે તે હું હમણાં કરાવીશ. ll૧૭૪ આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે દેવદત્તાએ વિચાર્યું કે મૂળદેવને આણે જીવતો મૂક્યો છે. તેથી તેના પણ પ્રાણોને રાજા પાસેથી અપાવડાવું. ll૧૭પી રાજાએ પણ અચલને કહ્યું કે, “અરે ! આજે હમણાં તું જીવતો મૂકાયો છે. તે દેવદત્તાના આગ્રહથી જ અને બીજું કે નર શિરોમણિ શ્રેષ્ઠ મૂળદેવને લાવીને જ આ નગરમાં પ્રવેશ કરજે. નહિતર મારી ભૂમિનો ત્યાગ કર. ૧૭૬-૧૭ી કલ્પાંતકાળના પવનની જેમ રાજાની આજ્ઞાથી તે જ ક્ષણે અચલ પણ ચાલ્યો. કારણ કે રાજાની આજ્ઞા અતિ ભયંકર હોય છે. /૧૭૮ ચારે બાજુ અચલે મૂળદેવને શોધ્યો. પરંતુ નિષ્ણુણ્યકને જેમ સંપત્તિ ન મળે તેમ મૂળદેવ તેને ક્યાંય મળ્યો નહિ. //૧૭૯ ત્યારબાદ બહાર રહેલા તેણે પોતાના સર્વસ્વને મંગાવીને ડરેલો એવો તે પારસ કુળના કિનારે ગયો. /૧૮૦ાા હવે રાજાએ પણ દેવદત્તાને ઉપાલંભ આપ્યો કે તેં અમને આ મૂળદેવ છે, એમ કેમ ન કહ્યું? II૧૮૧. જો મેં તેને ઓળખ્યો હોત (જાણ્યો હોત) તો દેશાદિના દાનથી તેને મારા પડખે જ સ્થાપના કરત, હાથમાં આવેલ રત્નનો કોણ ત્યાગ કરે ? II૧૮રી દેવદત્તાએ પણ કહ્યું કે આના અપાયની શંકાથી હે દેવ !
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy