SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૯ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ય : આ પણ=ભગવાન હદયમાં હોતે છતે ક્લિષ્ટ કર્મનું વિગમન પણ, કેમ થાય છે ? એથી કહે છે – સૂત્રઃ जलानलवदनयोर्विरोधात् ।।४९/४१६ ।। સૂત્રાર્થ : પાણી અને અગ્નિની જેમ આ બેનો-ભગવાનનું ચિત્તમાં અવસ્થાન અને કિલષ્ટકર્મોનું આત્મામાં અવસ્થાન એ બેનો, વિરોધ હોવાથી ભગવાન હૃદયમાં હોતે છતે ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે એમ અન્વય છે. II૪૯૪૧૬ll ટીકા - वारिवैश्वानरयोरिव 'अनयोः' भगवच्चित्तावस्थानक्लिष्टकर्मणोः 'विरोधात्' परस्परबाधनात् I૪૧/૪ઉદ્દા ટીકાર્ચ - વારિશ્વાનરયોરિવ..... પરસ્પરવાથનાત્ II પાણી અને અગ્નિની જેમ આ બેતા=ભગવાનનું ચિત્તમાં અવસ્થાન અને ક્લિષ્ટકનો, વિરોધ હોવાથી=પરસ્પર બાધ હોવાથી વચતના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. ૪૦/૪૧૬ ભાવાર્થ : જેમ પાણી હોય ત્યાં અગ્નિ રહી શકતો નથી અને અગ્નિ હોય ત્યાં પાણી રહી શકતું નથી. આમ છતાં અગ્નિ અને પાણી બેનો સંયોગ થાય ત્યારે તે બન્ને વચ્ચે વધ્ય-ઘાતક ભાવથી સંબંધ છે, તેથી પાણીનો અંશ બળવાન હોય તો અગ્નિ ક્ષણ ક્ષીણતર થાય છે અને અગ્નિનો અંશ બળવાન હોય તો પાણી ક્ષીણ થાય છે તેમ વીતરાગ વીતરાગરૂપે ચિત્તમાં ઉપસ્થિત હોય ત્યારે વીતરાગભાવના સંસ્કારો અતિશય-અતિશયતર થાય છે અને જીવમાં વર્તતા અનાદિકાલીન સંસારના કારણભૂત સંગના સંસ્કારો, અને પૂર્વમાં સંગના પરિણામને કારણે બંધાયેલા ક્લિષ્ટકર્મો સત્તામાં છે તે સંગના સંસ્કારો અને ક્લિષ્ટકર્મો બંને ક્ષીણ ક્ષીણતર થાય છે. અને જો ધર્મઅનુષ્ઠાનકાળમાં પણ સંગશક્તિ પ્રચુર વર્તતી હોય તો વીતરાગતાના ભાવનથી પૂર્વમાં પડેલા સંસ્કારો પણ નાશ પામે છે. આથી જ ભગવાનની પૂજાકાળમાં પણ ઇન્દ્રિયોના અન્ય અન્ય વ્યાપારો
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy