SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર–૩૩, ૩૪ ૪૯ ત્યારે ત્યારે ક્લેશનો અનુભવ છે તે રીતે દૃષ્ટ છે. અને તેના ફળરૂપે નરક આદિની પ્રાપ્તિ જ્ઞાત છે. તેથી ભાવનાજ્ઞાનસંપન્ન યોગી સતત દૃષ્ટ અને જ્ઞાત એવા સૂક્ષ્મ બોધ અનુસાર યોગનિરોધને અનુકૂળ અંતરંગ યત્ન થાય તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને વર્તમાનમાં ક્લેશના નિવર્તન માટે અને ભાવિના નરક આદિ પાતના નિવર્તન માટે સદા યત્ન કરે છે તે રીતે, શ્રુતજ્ઞાનમય પ્રજ્ઞાવાળા મહાત્મા આત્મકલ્યાણના અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ સંગની પરિણતિરૂપ અપાયથી તે પ્રકારે નિવૃત્તિ કરી શકતા નથી જે પ્રકારે દૃષ્ટ પદાર્થરૂપ અગ્નિમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરીને સંસારી જીવો હિત સાધે છે. વળી, સંસારી જીવો અગ્નિ આદિ દૃષ્ટ પદાર્થમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરીને જે રીતે હિત સાધી શકે છે, તે રીતે ભાવનાજ્ઞાનસંપન્ન યોગી સંસારની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને યોગમાર્ગની પ્રવૃત્તિને સેવીને આત્મહિત સાધી શકે છે. માટે શ્રુતમય પ્રજ્ઞાથી થયેલું જ્ઞાન ઉ૫રાગમાત્ર છે. II૩૩/૪૦૦]] અવતરણિકા : ननु भावनाज्ञानेऽप्यपायेभ्यो निवृत्तिरसम्भविनीत्याह અવતરણિકાર્ય : ભાવનાજ્ઞાનમાં પણ અપાયોથી નિવૃત્તિ અસંભવી છે એ પ્રકારની શંકામાં કહે છે – સૂત્ર : તનૂને ૨ હિતાહિતયો: પ્રવૃત્તિનિવૃત્ત ।।રૂ૪/૪૦૧|| સૂત્રાર્થ : - આના મૂલ જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ, હિતાહિતની પ્રવૃત્તિ-નિવૃત્તિ છે. II૩૪/૪૦૧|| ટીકા ઃ 'एतन्मूले च' भावनाज्ञानपूर्विके एव, 'च'कारस्यैवार्थत्वात्, 'हिताहितयोः ' प्रतीतयोः यथासंख्यं ‘પ્રવૃત્તિનિવૃત્તી’ વિધિપ્રતિષધરૂપે મવતઃ મતિમતામ્, નાન્યજ્ઞાનમૂને કૃતિ ।।૩૪/૪૦૫ ટીકાર્થ : -- ‘તન્યૂને વ’ • કૃતિ ।। આવા મૂલ જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ, પ્રતીત એવા હિતાહિતની યથાસંખ્ય= થથાક્રમ વિધિ-પ્રતિષધરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ બુદ્ધિમાનોની થાય છે. અન્ય જ્ઞાનમૂલક થતી નથી. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૪/૪૦૧। ભાવાર્થ અવતરણિકામાં શંકા કરેલ કે ભાવનાજ્ઞાન પ્રાપ્ત થયે છતે પણ જ્યાં સુધી જીવમાં એ પ્રકારનું પ્રયત્ન કરવાનું સત્ત્વ ન આવે ત્યાં સુધી અનર્થનાં કારણોથી નિવૃત્તિ થઈ શકે નહિ. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy