________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂચ-૩૨ થાય કે શ્રુતજ્ઞાન તો ભગવાનનાં વચનરૂપ છે તે શ્રુતજ્ઞાનની પ્રજ્ઞાથી પણ તેવું જ્ઞાન કેમ થતું નથી ? એથી કહે છે – સૂત્ર :
ઉપર માત્ર સારૂ૨/૩૩૨ા સૂત્રાર્થ:
ઉપરાગમાત્રપણું હોવાથી શ્રુતમય પ્રજ્ઞાથી થતા બોધનું ઉપરાગમાત્રપણું હોવાથી, તેનાથી થયેલો બોધ ભાવનાજ્ઞાનથી થયેલા બોઘ જેવો મર્મસ્પર્શ નથી એમ અન્વય છે. li૩૨/૩૯ll ટીકા -
उपराग एव केवल 'उपरागमात्रम्', तद्भावस्तत्त्वं तस्मात्, यथा हि स्फटिकमणेर्जपाकुसुमादिसंनिधानत उपराग एव, न पुनस्तद्भावपरिणतिः सम्पद्यते, एवं श्रुतमय्यां प्रज्ञायां आत्मनो बोधमात्रमेव बहिरङ्गम्, न त्वन्तःपरिणतिरिति ।।३२/३९९ ।। ટીકાર્ય :
સરળ રિતિિિત | ઉપરાગ જ કેવળ છે તે ઉપરાગમાત્ર, તેનો ભાવ તે ઉપરાગમાત્રત્વ છે તેના કારણે ચુતમયપ્રણાથી ભાવના જેવું જ્ઞાન થતું નથી.
આ કથનને સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે સ્ફટિકમણિને જપાકુસુમાદિના સંવિધાનથી ઉપરાગ જ થાય છે, પરંતુ તેના ભાવની પરિણતિ થતી નથી=જપાકુસુમમાં રક્તવાદિના ભાવની પરિણતિ થતી નથી. એ રીતે મુતમ પ્રજ્ઞામાં આત્માને બહિરંગ બોધ જ માત્ર થાય છે પરંતુ અંતરંગ પરિણતિ થતી નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૨/૩૮૯ ભાવાર્થ -
સાધુઓ સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુ પાસે શ્રુતનો અભ્યાસ કરે છે અને તે શ્રુતજ્ઞાન જે તાત્પર્યમાં ભગવાને કહ્યું છે એ પ્રકારના તાત્પર્યપૂર્વક ગીતાર્થ પાસેથી પ્રાપ્ત થયું હોય તો તે મહાત્માને શ્રુતમય પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. તે શ્રુતમય પ્રજ્ઞા પણ વિશિષ્ટ ઊહાપોહપૂર્વક ચિંતાજ્ઞાનને પ્રગટ ન કરી શકે ત્યાં સુધી તે શ્રુતજ્ઞાન ભાવનાજ્ઞાન બનતું નથી અને તે શ્રુતજ્ઞાનથી થયેલો બોધ ઉપરાગમાત્ર છે.
જેમ સ્ફટિકની સામે લાલ ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે તેમ શાસ્ત્રઅધ્યયનથી કોઈ મહાત્માને શ્રુતજ્ઞાનરૂપ બહિરંગ બોધ થાય છે તે શ્રુતજ્ઞાનરૂપ છે અને જેમ રક્તસ્કૂલથી સ્ફટિક રક્ત બનતું નથી, માત્ર રક્ત દેખાય છે તેમ શ્રુતજ્ઞાનથી આત્માને અંતરંગ પરિણતિ રૂપ જ્ઞાન પ્રગટતું નથી પરંતુ