SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૧ | સૂત્ર-૨૨, ૨૩ સૂત્રાર્થ: માર્ગાનુસારીપણું હોવાથી ચારિત્રીમાં સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે. li૨૨૩૮૯ll ટીકા : ‘માસ્ટ' સર્શનાર્ષત્તિપથસ્થાનુવર્તનાત્ ારર/૨૮ ટીકાર્ચ - મારા' ...... અનુવર્તનાત્ / સમ્યગ્દર્શનાદિ મુક્તિપથરૂપ માર્ગનું અનુવર્તન હોવાથી અનુસરણ હોવાથી સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે એમ અવાય છે. ર૨/૩૮૯ ભાવાર્થ - આત્મા પૂર્ણ શુદ્ધ સિદ્ધ અવસ્થામાં છે. અને તે શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ એવી જે આત્માની તરતમતાવાળી અંતરંગ પરિણતિ છે તે રત્નત્રયીરૂપ મુક્તિપથ છે. તે મુક્તિપથને યથાર્થ જાણીને તેમાં દઢ યત્ન કરવા માટે જે મહાત્માઓ અપ્રમાદથી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સદા યત્ન કરે છે તેમાં માર્ગાનુસારી ભાવ વર્તે છે અને તેના કારણે તેઓનો કર્મની ઉપાધિથી રહિત એવો નિજ સ્વભાવ સતત ઉત્કર્ષને પામી રહ્યો છે; કેમ કે તે મહાત્માના ત્રણે યોગો સતત કર્મશક્તિના ક્ષય માટે પ્રવર્તે છે. ફક્ત કોઈક સ્થાનમાં અનાભોગથી બાહ્ય પ્રવૃત્તિ વિપરીત થાય તો પણ માર્ગાનુસારી ભાવ હોવાને કારણે તેમની રત્નત્રયીની વૃદ્ધિ સદા ચાલુ છે. ૨૨/૩૮લા અવતરણિકા - તપિ - અવતરણિકાર્ચ - તે પણ=માર્ગાનુસારીભાવ પણ કેમ છે ? એથી કહે છે – ભાવાર્થ - ભાવચારિત્રીને માર્ગાનુસારીભાવ હોય છે માટે તેઓને સ્વસ્વભાવનો ઉત્કર્ષ વર્તે છે એમ કહ્યું, તેથી જિજ્ઞાસા થાય કે ચારિત્રીમાં માર્ગાનુસારીભાવ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર - તથાસ્વિમવત્થાત્ સારરૂ/૩૬૦ના સૂત્રાર્થ – તેવા પ્રકારની રુચિનું સ્વભાવપણું હોવાથી મારે સર્વ ઉધમથી સંસારનો ઉચ્છેદ કરવો છે એવા
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy