SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬/ સૂત્ર-૨ 'विशुद्ध्यमानाशयस्य' वलक्षपक्षक्षपापतिमण्डलस्येव प्रतिकलमवदायमानमानसस्य, 'यथोचितप्रवृत्तेः' प्रस्तावप्रायोग्यप्रारब्धप्रयोजनस्य, अत एव 'सात्मीभूतशुभयोगस्य' अयःपिण्डस्येव वह्निना शुभयोगेन सह समानीभूतात्मनो यतिविशेषस्य 'श्रेयान्' अतिप्रशस्यः 'सापेक्षयतिधर्म एव, नेतर રૂતિ પાર/રૂદશા ટીકાર્ચ - તતિ .નેતર રૂતિ ત્યાં=વિષયવિભાગના અનુવર્ણના પ્રારંભમાં, કલ્યાણ આશયવાળા=ભાવઆરોગ્યરૂપ મુક્તિપુરીના પ્રાપક એવા પરિણામવાળા, શ્રતરત્નના મહોદધિ=પ્રવચનરૂપી માણિક્યના પરમવીરનિધિ, ઉપશમ આદિ લબ્ધિવાળા=પૂર્વમાં કહેલા લક્ષણવાળી ઉપશમ આદિ લબ્ધિથી યુક્ત, પરહિતમાં ઉધત=સર્વ જગતના જીવના સમૂહના હિતના આધારરૂપ ધનવાળા, અત્યંત ગંભીરચિતવાળા=હર્ષ-વિષાદ આદિમાં અતિ નિપુણ પુરુષો વડે પણ અનુપલબ્ધચિતના વિકારવાળા અર્થાત્ કોઈક તિમિરને કારણે ચિત્તમાં કંઈક હર્ષ-વિષાદનો પરિણામ પ્રગટ થાય તોપણ તે વિકાર મુખ ઉપર નહિ દેખાવાને કારણે અન્ય એવા નિપુણ પુરુષથી પણ તે ચિત્તનો વિકાર ઉપલબ્ધ ન થાય તેવા, આથી જ= અતિગંભીર ચિતવાળા હોવાથી, પ્રધાનપરિણતિવાળા=સર્વોત્તમ આત્મપરિણામવાળા=૭ધસ્થ અવસ્થામાં શુદ્ધ આત્મપરિણતિને પ્રાદુર્ભાવ કરવા માટે જે પ્રકારની પરિણતિ આવશ્યક છે તે પ્રકારના આત્મપરિણામવાળા, વિધુતમોહવાળા=સમુત્તીર્ણ મૂઢભાવની તંદ્રાની મુદ્રાવાળા, પરમ સત્વાર્થને જ કરનારા=તિવણનું અવંધ્યકારણ એવું સમ્યક્તાદિરૂપ જીવનું જે પ્રયોજન તેને કરનારા સતત પોતાનામાં રહેલ સમ્યક્તાદિ ગુણની વૃદ્ધિ કરનારા, સામાયિકવાળા=માધ્યય્યગુણરૂપ, તેની તુલા ઉપર આરોપણને વશ પ્રાપ્ત થયેલી સમતાને કારણે અપવીત થયું છે સ્વજન-પરજન આદિ ભાવવાળા, વિશુદ્ધમાન આશયવાળા=વલણપક્ષના=શુક્લપક્ષના, ચંદ્રના મંડલની જેમ પ્રતિકલામાં અવદાયમાન અર્થાત્ વિશુદ્ધમાન માનસવાળા, યથોચિત પ્રવૃત્તિવાળા=પ્રસ્તાવને પ્રાયોગ્ય પ્રારબ્ધ પ્રયોજનવાળા અર્થાત્ જે વખતે જે પ્રવૃત્તિનો પ્રસ્તાવ હોય તેને અનુરૂપ જ કૃત્ય કરવાવાળા, આથી જ સાત્મીભૂત શુભયોગવાળા=અગ્નિની સાથે લોખંડના ગોળાની જેમ શુભયોગની સાથે સમાતીભૂત આત્માવાળા એવા યતિવિશેષને સાપેક્ષયતિધર્મ જ શ્રેય છે અતિ પ્રશસ્ત છે, ઈતર નહિ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર/૩૬૯ ભાવાર્થ પૂર્વના અધ્યાયમાં બે પ્રકારનો યતિધર્મ બતાવ્યો. અને તેના વર્ણન અનુસાર વિચારીએ તો સાધુ પ્રથમ ભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવે છે. શાસ્ત્ર ભણીને સંપન્ન થયેલા હોય એવા વિશિષ્ટ યોગીઓ શક્તિવિશેષ હોય તો નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે, તેથી સામાન્યથી એ પ્રાપ્ત થાય કે સાપેક્ષયતિધર્મ કરતાં નિરપેક્ષયતિધર્મ સંયમની ઊંચી ભૂમિકા છે. છતાં તેમાં પણ અનેકાન્ત છે, તેથી જે મહાત્માઓ દસ પૂર્વધર આદિ થયા છે
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy