________________
૧૬૨
અવતરણિકા :
तथा
અવતરણિકાર્થ :
અને
સૂત્રઃ
-
=
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૫
સૂત્રાર્થ :
ધર્મ શ્રેષ્ઠ ચિંતામણિ છે. ધર્મ ઉત્તમ કલ્યાણ છે. ધર્મ એકાંતથી હિત છે. ધર્મ જ પરમ અમૃત
છે. III
ટીકા ઃ
एतन्निगदसिद्धमेव परं यत् पुनः पुनर्धर्मशब्दोपादानं तद्धर्मस्यात्यन्तादरणीयताख्यापनार्थमिति
11411
ટીકાર્ય :
धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकान्तो धर्मो धर्म एवामृतं परम् ।।५।।
एतन्निगदसिद्धमेव
ધ્યાપનાર્થમિતિ ।। આ=પ્રસ્તુત શ્લોકનો અર્થ, ‘નિવસિદ્ધમેવ’=શબ્દ માત્રથી અર્થ સ્પષ્ટ છે, પરંતુ શ્લોકમાં જે પુનઃ પુનઃ ધર્મ શબ્દનું ગ્રહણ છે તે ધર્મની અત્યંત આદરણીયતા બતાવવા માટે છે. પ
ભાવાર્થ:
ચિંતામણિ રત્ન વર્તમાન ભવમાં ઇચ્છિત બાહ્ય ભૌતિક સામગ્રી આપી શકે છે પરંતુ જીવને સદ્ગતિની પરંપરા દ્વારા દરેક ભવમાં સુખની પ્રાપ્તિ કરાવીને મોક્ષના સુખના અર્થીને મોક્ષનું સુખ આપી શકતું નથી. જ્યારે સ્વભૂમિકા અનુસાર દૃઢ પ્રણિધાનપૂર્વક સેવાયેલા અનુષ્ઠાનથી નિષ્પન્ન થતું પુણ્યાનુબંધીપુણ્ય અને નિર્જરારૂપ ધર્મ ચિંતામણિ કરતાં શ્રેષ્ઠ છે; કેમ કે દરેક ભવમાં સાથે આવે છે અને અંતે જીવને ઇચ્છિત પૂર્ણસુખમય મોક્ષને સદા માટે પ્રાપ્ત કરાવે છે.
વળી, ધર્મ ઉત્તમ કલ્યાણ છે અર્થાત્ જીવને જે સુખ છે તે જ કલ્યાણ છે. ધર્મના સેવનકાળમાં જે સુખ થાય છે તે જ સુખ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને ઉત્તર ઉત્તરના ધર્મરૂપે પરિણમન પામે છે અને અંતે મોક્ષના સુખરૂપે જ ધર્મ પરિણમન પામે છે. તેથી ધર્મ ઉત્તમ કલ્યાણ છે.