SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૪, ૫ ટીકાર્ચ - મવૈશ્વર્યચ' ... વર્ષ / ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સાદિ ગુણની પ્રાપ્તિ રૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ ઉત્કર્ષ, ધર્મનું અનંતર ફલ છે. ૪/૪૪૭ના ભાવાર્થ - જે મહાત્માઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે, તેઓમાં પૂર્વમાં જે ભવાભિનંદી આદિ જીવોના ક્ષુદ્રતા આદિ દોષો હતા તે દોષો ક્ષીણ ક્ષીણતર થાય છે અને તેના પ્રતિપક્ષભૂત ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સાદિ ગુણોરૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ થાય છે, તેથી ધર્મ સેવનારા તે મહાત્મામાં ધર્મસેવનકાળમાં જ ઉત્તમ ગુણસંપત્તિરૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ થાય છે જે સેવાયેલા ધર્મનું તત્કાલ ફલ છે. I૪/૪૪૭ના અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : નનયિત્વમ્ II/૪૪૮ી. સૂત્રાર્થ - જનપ્રિયપણું અનંતર ફલ છે. Im/૪૪૮ ટીકા - सर्वलोकचित्तालादकत्वम् ।।५/४४८।। ટીકાર્ચ - સર્વનોવિજ્ઞાજ્ઞા વર્તમ્ II સર્વલોકના ચિત્તનું આહ્વાદકપણું ધર્મના સેવનનું અનંતર ફલ છે. i૫/૪૪૮ ભાવાર્થ - જે મહાત્માઓ તત્ત્વથી ભાવિત મતિવાળા છે તેઓ જેમ જેમ ધર્મને સેવે છે તેમ તેમ તેઓની પ્રકૃતિ ઉત્તમ ઉત્તમતર બને છે અને તેવા ઉત્તમ પ્રકૃતિવાળા જીવોને જોઈને શિષ્ટ પુરુષોને ચિત્તમાં આનંદ થાય છે કે ખરેખર આ મહાત્મા ધન્ય છે જે આવી ઉત્તમ પ્રકૃતિને ધારણ કરે છે. જે ધર્મને સેવવાનું તત્કાલીન ફળ છે. પ/૪૪૮
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy