SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૫૮, ૫૯ આથી જ અન્ય ગ્રંથમાં કહ્યું છે – ફળના અર્થીએ ધર્મઅનુષ્ઠાનકાળમાં અતરાપૂર્વક ગમન કરવું જોઈએ અને સર્વ કૃત્યો અતરાપૂર્વક કરવાં જોઈએ. વળી, ઇન્દ્રિયના ચાંચલ્યના પરિહારપૂર્વક, પ્રણિધાનપૂર્વક તે કૃત્ય કરવું જોઈએ, તેથી જે શ્રાવક સામાયિકના પરિણામની નિષ્પત્તિનું કારણ એવી ક્રિયાના રહસ્યને જાણીને અતૂરાપૂર્વક અને મનના દઢ પ્રણિધાનપૂર્વક તે ક્રિયા શાસ્ત્રવિધિ અનુસાર કરે છે તેનાથી તે મહાત્માના ચિત્તમાં અવશ્ય સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે, પરંતુ તેવો કોઈ યત્ન કર્યા વગર કોઈ શ્રાવક સામાયિકના પરિણામની ઇચ્છા કરે તો તે અકાલે ફળવાંછારૂપ સુwદોષ છે; જેનાથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે કાર્યનો અર્થી વિચારક હોય તો કારણમાં જ ઇચ્છા કરે છે, અકારણ એવા ઔસ્ક્યમાં ઇચ્છા કરતો નથી. પ૮/૪૨પા અવતરણિકા : यदि नौत्सुक्यं प्रवृत्तिकालसाधनं तर्हि किं साधनमित्याशङ्क्याह - અવતરણિતાર્થ : જો ઓત્સુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી તો પ્રવૃત્તિકાલનું શું સાધન છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ - સૂત્ર-પકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રવૃત્તિકાળનું સાધન ફુક્ય નથી. અહીં વિચારકને પ્રશ્ન થાય કે જે ફળ પોતાને અભિમત છે તેને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાનું સાધન શું છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર : મૂતાન્ચેવ તુ પ્રવૃત્તિ સાધનાન સાધ૬/૪રદ્દો સૂત્રાર્થ વળી, પ્રવૃત્તિકાલનાં સાધનો ઘણાં જ છે. I/પ૯/૪રકા ટીકા - 'प्रभूतान्येव तु' बहून्येव न पुनरेकं किञ्चन 'प्रवृत्तिकालसाधनानि' सन्तीति ।।५९/४२६ ।। ટીકાર્ચ - બ્રાન્ચેa' ..... સનીતિ | વળી, ઘણાં જ=બહુ જ, પરંતુ એક કોઈ પ્રવૃત્તિકાલનું સાધન નથી. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. /૪૨૬ાા
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy