________________
૩૧૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૧, ૬૨ માર્દવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. ગુણવાન પુરુષને પરતંત્રતા રહે એવો આર્જવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. કોઈ પદાર્થમાં સંગ ન થાય તે પ્રકારનો નિર્લેપ ભાવ ધા૨ણ ક૨વો જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં અદીનતા ધારણ કરવી જોઈએ. ક્ષુધા-તૃષા આદિમાં વ્યાકુળતા ન થાય તે પ્રકારે તિતિક્ષા ભાવથી આત્માને ભાવિત ક૨વો જોઈએ. સાધુનાં સર્વ આવશ્યક અનુષ્ઠાનમાં પરિશુદ્ધિની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ. આ સર્વ ભાવસાધુનાં લિંગો છે. II૬૧/૩૩૦II
અવતરણિકા :
तथा
અવતરણિકાર્ય :
અને
સૂત્ર ઃ
-
સૂત્રાર્થ
—
:
यथाशक्ति तपः सेवनम् ।।६२/३३१।।
યથાશક્તિ=પોતાની શક્તિ અનુરૂપ તપનું સેવન કરવું જોઈએ. ॥૬૨/૩૩૧॥
ટીકા ઃ
‘યથાશત્તિ તપસ:’ અનશનાવે: ‘સેવનમ્’ આચરાત્, યયોમ્ –
“कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः ।
चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।१९४।। " [ ] ।।६२/३३१ ।। ટીકાર્થ ઃ
.....
'यथाशक्ति નિનાનામ્ ।। યથાશક્તિ અનશનાદિ તપનું સેવન કરવું જોઈએ=સાધુએ આચરણ કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે
“આ કાયા=શરીર, કેવલ પરિતાપનીય નથી=ઉપવાસ આદિ કરીને કષ્ટ આપવા સ્વરૂપ નથી અને ઘણા પ્રકારનાં ઇષ્ટ ૨સો વડે પોષણ કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથથી=સંયમના કંડકોના ઉપાયનાં વૃદ્ધિમાં યત્નને છોડીને બાહ્ય પદાર્થો સાથે સંગના પરિણામ કરવારૂપ ઉત્પથથી, ચરે નહીં=ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય, અને જેનાથી=જે તપથી, વશ થાય—ચિત્ત અને મન વશ થાય, તેતે તપ જિનોનું આચરિત છે. ૧૯૪” ()
II૬૨/૩૩૧૩૦
ભાવાર્થ:
સાધુ મોક્ષના અત્યંત અભિલાષી છે, તેથી જ સર્વ બાહ્ય સંગનો ત્યાગ કરીને કેવલ અસંગ ભાવની