________________
૪૪
અવતરણિકા :
उक्तविपर्यये दोषमाह
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨
અવતરણિકાર્ય :
ઉક્ત વિપર્યયમાં=પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની અત્યાર સુધી વિધિ બતાવી તેના વિપર્યયમાં દોષને કહે છે=દીક્ષા ગ્રહણ કરવાથી પ્રાપ્ત થતા દોષતે કહે છે
સૂત્રઃ
અધ્યાય-૪ | શ્લોક-૬
यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्त्रबाधया
स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः । । ६ ।।
સૂત્રાર્થ -
વળી, જે પુરુષ આવા પ્રકારનો નથી=પૂર્વમાં બતાવેલી વિધિ પ્રમાણે દીક્ષામાં પ્રવૃત્ત નથી, મોહથી શાસ્ત્ર બાધા વડે ચેષ્ટા કરે છે તે જીવ તેવા લિંગયુક્ત પણ=શુદ્ધ સાધુના વેષ તુલ્ય વેષવાળો પણ ગૃહસ્થ મનાયો નથી અને યતિ મનાયો નથી. II9ના
ટીકાઃ
.....
'यस्तु' यः पुनरद्याप्यतुच्छीभूतभवभ्रमणशक्तिः 'न' नैव ' एवंविधः ' किन्तु उक्तविधिविपरीतः ‘મોહાર્’ અજ્ઞાનાત્ ‘ચેષ્ટતે’ પ્રવર્તતે ‘શાસ્ત્રવાવવા' શાસ્ત્રાર્થોıડ્યનેન ‘સ’ પ્રાળી ‘તાતૃ તિ યુોડવિ’ शुद्धयतितुल्यनेपथ्यसनाथोऽपि किं पुनरन्यथाभूतनेपथ्य 'इत्यपि 'शब्दार्थः, 'न गृही' गृहस्थाचारરહિતત્વાત્, ‘ન યતિ:' માવચારિત્રવિરહિતત્વાવિતિ દ્દા
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिविधिः चतुर्थोऽध्यायः समाप्तः ।
ટીકાર્ય ઃ
‘વસ્તુ’ વિરહિતત્વાવિતિ । જે વળી હજી પણ અતુચ્છીભૂત ભવભ્રમણની શક્તિવાળો=જેણે ભવભ્રમણની શક્તિ ક્ષીણ કરી નથી તેવો, આવા પ્રકારનો નથી જ=પૂર્વમાં બતાવેલી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનારો નથી જ, પરંતુ ઉક્તવિધિથી વિપરીત છે. તે જીવ મોહથી=અજ્ઞાનથી, શાસ્ત્રની બાધા વડે=શાસ્ત્રની મર્યાદાના ઉલ્લંઘન વડે, પ્રવર્તે છે. તે પ્રાણી તેવા લિંગયુક્ત પણ=શુદ્ધ સાધુના તુલ્ય વસ્ત્રધારી પણ=શુદ્ધ સાધુની જેમ જીર્ણ, અસાર એવા વસ્ત્રને ધારણ કરનાર પણ, ગૃહસ્થ નથી; કેમ કે ગૃહસ્થના દાનશીલ આચારથી રહિતપણું છે, યતિ નથી; કેમ કે નિર્લેપ પરિણતિરૂપ ભાવચારિત્રનું રહિતપણું છે.