SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મગીતા છે, માટે અનેક કહેવાય છે. આમ એકમાં અનેકપણું ઘટવું, છતાં તે અનેક પ્રદેશ, ગુણ, પર્યાયમાં જીવ તો એક જ છે, માટે અનેકમાં એકપણું છે. (૫) વ્યવહારને સત્ - અસત પક્ષ: જીવ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણે સત્ છે, જેમકે સ્વદ્રવ્ય-છવદ્રવ્ય જે ગતિમાં વર્તે છે તે, સ્વક્ષેત્ર-જે ક્ષેત્રને અવગાહીને રહ્યો છે તે, સ્વકાળ–પોતાનું આયુષ્ય પ્રમાણ હેય છે તે, સ્વભાવ–શુભાશુભ ભાવમાં રહે છે તે સ્વભાવ, એનાથી અન્ય-જે પરદ્રવ્ય, પારક્ષેત્ર, પરકાળ અને પરભવની અપેક્ષાએ અસત છે. આ પ્રમાણે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત હોવા છતાં પરવ્યાદિની અપેક્ષાએ અસત હોવાથી સમાં અસતપણું થયું, અને તે અસતપણામાં પણ જીવ પોતે સતપણે રહે છે. તેથી અસતમાં સતપણું જાણવું. (ક) નિશ્ચયને સત્ - અસત્ પક્ષ: નિશ્ચયનયની અપેક્ષાએ જીવ સ્વદ્રવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી અસત છે, તે પૂર્વવત સમજી લેવું. અહીં સ્વદ્રવ્ય-જ્ઞાનાદિ ગુણવાળો જીવ, સ્વક્ષેત્ર–પિતાના અસંખ્યાતપ્રદેશને અવગાહીને રહેવું તે, સ્વકાળ – અગુરુ - લધુપર્યાયની હાનિ વૃદ્ધિ રુપ, અને સ્વભાવ–પિતાના ગુણપર્યાયની પ્રવૃત્તિ જાણવી, એ સિવાયના અન્ય પદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણવા. (૭) વ્યવહારનયે વક્તવ્ય-અવક્તવ્ય પક્ષ: દયિક ભાવને વેગે છવ પ્રથમ ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી વાતે છે. તે સંસારી જીવના જેટલા ગુણ ક્વલીભગવાનથી વર્ણવી શકાય તે વક્તવ્ય અને જેટલા ગુણ વર્ણવી ન શકાય તે અવફતવ્ય જાણવાં. (૮) નિશ્ચયનયે વક્તવ્ય- અવકતવ્ય પક્ષ: સિદ્ધ પરમાત્મા જેઓ ગુણસ્થાનક રહિત છે, અને લેકના અનંતભાગે બિરાજમાન થયેલા છે, તેમના જેટલા ગુણ કેવલીભગવાનથી કહી શકાય તે વક્તવ્ય અને તેથી પણ કહી શકાય નહિ તે ગુણે અવક્તવ્ય જાણવા. એ રીતે પ્રત્યેક પદાર્થોમાં સ્યાદવાદનું જ્ઞાન થઈ શકે છે. આ સ્થાવાદ (અનેકાન્તવાદ) એજ વસ્તુને તાત્વિક (સત્ય) બંધ કરાવનાર છે અને એ બેધ એજ સમ્યજ્ઞાન કહેવાય છે કે જે આત્માના મોક્ષનું પ્રધાન કારણ છે, જેના દ્વારા આત્મામાં સમ્યગદર્શન અને સમ્યચ્ચારિત્ર પ્રગટ થાય છે, પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ થાય છે.
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy