SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મગીતા શકાય નહિ એવા સર્વજ્ઞ સર્વદર્શને જીવ માને છે, અને એવંભૂતનય તે જેઓને સંપૂર્ણ સ્વધર્મરૂપ પ્રકાશ પૂર્ણ નિર્મલપણે પ્રગટ થયો છે, અને જે પૂર્ણ પ્રગટેલા ગુણ પર્યાયના ભોગી છે, તેવા સિદ્ધ ભગવંતને જ જીવ માને છે. વિવેચન- શબ્દનય કરતા સભરઢ વિશુદનય હેવાથી તેના મતે સયોગી વલી ( ૧૩ માં ગુણસ્થાને રહેલા) જ જવ” કહેવાય છે, અને એવભૂતનય તે સંપૂર્ણ-સુદ સ્વરૂપી સિદ્ધ ભગવાનને જ “વ” માને છે. આ પ્રમાણે સાતે નયો પોતપોતાના અભિપ્રાયથી છવનું સ્વરૂપે વર્ણવે છે, તેનું રહસ્ય સમજવાથી આધ્યાત્મિક દૃષ્ટિ વિકસિત બને છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, આ ચારે નય પદાર્થના નિરૂપણ કરવામાં તત્પર હેવાથી “અર્થનય” કહેવાય છે, અને શબ્દ, સમભિઢ અને એવંભૂત એ ત્રણ નય શબ્દના વાચાર્યને માનનારા હેવાથી “શબ્દ” પણ કહેવાય છે. નગમનયની વિશાલદષ્ટિ છે, તેનાથી સંગ્રહાય” અલ્પવિષયવાળા છે, એમ અનુક્રમે વ્યવહારદિ ન અલ્પ અલ્પ વિષયવાળા છે, છતાં વિશુદ્ધિની અપેક્ષાએ પૂર્વના નયથી ઉત્તરને (પછી) નય વધારે વિશુદ્ધ હોય છે, તેથી તેઓ અનુક્રમે આત્માની વિશુદ્ધ વિશુદ્ધ અવસ્થાને ગ્રહણ કરે છે. નય રહસ્ય (૧) નગમનથ - એ સ માને પૂર્ણ વસ્તુ માને છે..., આત્માનાં આઠ ચક પ્રદેશ સર્વ જીવોનાં નિર્મલ હોય છે, તેથી આ નય સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. (૨) સંગ્રહનય વસ્તુ સતા સંગ્રાહક છે .. સર્વ જીવોની સત્તા સિદ્ધ સમાન છે, તેથી સર્વ છે એક સરખા છે, એક જાતિવાળા છે, એમ માને છે. આ બે નાની વિચારણાથી સર્વ જીવો પ્રત્યે મિત્રીભાવ તથા સમભાવ ળવી તેઓને પિતાની સમાન માની તેઓનું રક્ષણ કરવાની અદ્ભુત પ્રેરણા મળે છે. તેમજ પિતામાં રહેલા અનંતગાન સુખ શક્તિની ઓળખાણ થવાથી તેને પ્રગટાવવાની શ્રદ્ધારુચિ ઉત્પન્ન થાય છે.
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy