SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ર-વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનાશાતના વિનયના ભેદો ભગવંતો ગુરુને વંદન ન કરવું ઇત્યાદિ અપરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે છે. અને એનાથી જ એમનાં કર્મો દૂર થાય છે. હવે જો કેવળીઓનું કેવલજ્ઞાન અન્યના જાણવામાં ન આવ્યું હોય તો જ્યાં સુધી કેવળજ્ઞાન અન્યના જાણવામાં ન આવે ત્યાં સુધી કેવળીઓ પણ ગુરુને વંદન કરવું ઇત્યાદિ પરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે.) [૪૦૪] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેएसो भे परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो । बावण्णविहिविहाणं, बिंति अणासायणा विणयं ॥ ४०५॥ આ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ વિનય તમને કહ્યો. અનાસાતના વિનય બાવન પ્રકારનો છે એમ તીર્થકરો અને ગણધરો કહે છે. [૪૦૫] આ જ વિષયને કહે છેतित्थयरसिद्धकुलगणसंघकिरियधम्मनाणनाणीणं । आयरियथेरुवज्झायगणीणं तेरस पयाणि ॥ ४०६॥ તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી એમ તેર પદો છે. વિશેષાર્થ- તીર્થકર અને સિદ્ધ પ્રસિદ્ધ છે. કુલ=નાગેન્દ્ર વગેરે કુલ. ગણ=કોટિક વગેરે ગણ. સંઘ પ્રસિદ્ધ છે. ક્રિયા-આત્મા છે, પરલોક છે, ઈત્યાદિ-શ્રદ્ધા રાખીને આત્મહિત માટે થતી ધર્મક્રિયા. ધર્મ=દશ પ્રકારનો સાધુધર્મ વગેરે. જ્ઞાન=મતિજ્ઞાન વગેરે. જ્ઞાની=જ્ઞાનવાન. સ્થવિર=સીદાતાઓને સ્થિર કરનાર. ઉપાધ્યાય પ્રસિદ્ધ છે. ગણી=કેટલાક સાધુસમુદાયના અધિપતિ. [૪૦૬] જો આ તેર પદો છે તો તેનાથી શું? તે કહે છેअणसायणा य भत्ती, बहुमाणो तह य वनसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा हुंति बावन्ना ॥ ४०७॥ આ તેર પદોનો અનાસાતના, ભક્તિ, બહુમાન અને વર્ણસંજવલના એ ચાર પ્રકારનો વિનય કરવો. તેર પદોને ચારથી ગુણવાથી બાવન થાય. વિશેષાર્થ– અનાસાતના-જાતિ આદિથી હીલના કરવી તે આસાતના. આસાતનાનો અભાવ તે અનાસાતના. તીર્થકર આદિની હંમેશા અનાસાતના (=આસાતનાનો ત્યાગ) કરવા યોગ્ય છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy