________________
તપધર્મ].
ઉપદેશમલા (પુષ્પમાલા) [ભિક્ષાચર્યા-રસત્યાગ-કાયક્લેશ-સંલીનતા-૨૧૭ તેનાથી એક પણ કોળિયો ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી (=અત્યંત મધુરાદિ રસનો ભોક્તા) ન કહેવાય.
ભાવ ઊણોદરી અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણે અલ્પક્રોધ, અલ્પમાન, અલ્પમાયા, અલ્પલોભ, અલ્પશબ્દ (રાતે ગૃહસ્થો જાગી ન જાય એ માટે ધીમે બોલવું), અલ્પ ઝંઝા (=નિરર્થક બહુ પ્રલાપ ન કરવો), અલ્પતમંત્મ (હૃદયમાં ગુસ્સો અલ્પ કરવો).
(૨) ભિક્ષાચર્યા–ભિક્ષાચર્યા અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણેદ્રવ્યાભિગ્રહચરક (=દ્રવ્યનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), ક્ષેત્રાભિગ્રહચરક ( ક્ષેત્રનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), કાલાભિગ્રહચરક (કાલનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), ભાવાભિગ્રહચરક (=ગાયન કરતી વ્યક્તિ ભિક્ષા આપે તો ભિક્ષા લેવી ઇત્યાદિ ભાવ અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે). શુષણિકા(=દોષોથી રહિત ભિક્ષા લેવી એવો અભિગ્રહ કરનાર), સંખ્યાદત્તિક (=અમુક સંખ્યામાં જ દત્તિઓનો અભિગ્રહ). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૪) રસપરિત્યાગ- રસપરિત્યાગ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણેનિર્વિકૃતિક (ઘી વગેરે વિગઈનો ત્યાગ કરનાર), પ્રણીતરસ વિવર્જક (પ્રણીતરસનો ત્યાગ કરનાર), રૂક્ષાહાર (લૂખો આહાર લેવો). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૫) કાયક્લેશ- કાયક્લેશ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– સ્થાનાતીત ( કાયોત્સર્ગ કરનાર), ઉસ્કુટુકાસનિક (=ઉત્કટ આસને રહેનાર), સર્વગાત્રપરિકર્મ વિભૂષાવિપ્રમુક્ત (=શરીરના સર્વ પ્રકારના સંસ્કારોથી અને વિભૂષાથી રહિત). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૬) પ્રતિસલીનતા-પ્રતિસલીનતા ચાર પ્રકારની કહી છે. તે આ પ્રમાણેઇંદ્રિયપ્રતિસલીનતા (ઇંદ્રિયોનો નિગ્રહ કરવો), કષાયપ્રતિસલીનતા (=કષાયોનો નિગ્રહ કરવો), યોગસલીનતા (=મન-વચન-કાયાના વ્યાપારોનો નિગ્રહ કરવો.) વિવિક્તશયનાસન સેવનતા (=સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતિમાં રહેવું અને નિર્દોષ શયનાદિ ઉપકરણોનો ઉપયોગ કરવો).
શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, જિહ્યા અને સ્પર્શન એ પાંચ ઇંદ્રિયોને આશ્રયીને ઇંદ્રિયપ્રતિ
૧. આહાર આદિનો પાત્રમાં એકવાર ક્ષેપ તે દત્તિ. અભિગ્રહમાં દત્તિની સંખ્યાનો નિયમ હોય છે. ૨. પપાતિકસૂત્રમાં ભિક્ષાચર્યાના ૩૧ પ્રકાર જણાવ્યા છે. ૩. જેમાંથી ઘી આદિના બિંદુઓ ટપકતા હોય તે પ્રણીતરસ છે.