________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૧ છે. અને તે હું તેનો મામો છું. આ પ્રદેશમાં બાળાએ જે ચેષ્ટા કરી તે તને જાતે જ પ્રત્યક્ષ છે. તેથી હે મહાનુભાવ! તે વિષે અમે શું કહીએ? હવે તમે પોતાના ચરિત્રને સારી રીતે કહીને અમારા કાનને ખુશ કરો. તેથી લજ્જાથી નીચા મુખવાળા થઈને (૧૦૦) સાગરચંદ્ર વિચાર્યું કે પોતાનું ચરિત્ર સ્વયં કહેવું એ મોટા માણસોને યોગ્ય નથી. પોતાનું ચરિત્ર કહેવા છતાં લોક કહેશે કે કન્યાના લોભથી આ પોતાને હું સાગરચંદ્ર છું એમ અહીં ખોટું પણ કહે. તેથી અહીં મારે સો ઉત્તર યોગ્ય હોય તે અમે જાણતા નથી.
કનકમાલાના વિકલ્પો આ દરમિયાન કામદેવના બાણથી જેનું શરીર શલ્યવાળું થયું છે તેવી કનકમાલાએ ; વિચાર્યું. ખરેખર! આ તે જ મારા હૃદયને હરનારો શ્રેષ્ઠ કુમાર છે. કારણ કે લોકમાં તેને
છોડીને બીજાનો આવો રૂપાદિ ગુણસમૂહ સંભળાતો નથી અને દેખાતો નથી. બીજું- કામદેવ પણ જો દેવતા સ્વરૂપ અને સત્ય પ્રતિજ્ઞાવાળો છે તો યુગાંતે પણ સાગરચંદ્ર સિવાય અન્યને ઉદેશીને મને આ રીતે નિઃશંકપણે પ્રહાર ન કરે એ સ્પષ્ટ છે. કારણ કે હૃદયનો અનુરાગ જોડવામાં તત્પર કામદેવે મને અપ્રત્યક્ષ પણ ગુણનિધિ એવા સાગરચંદ્રને સર્વથા આપી છે. લોકમાં પણ કુલકન્યાઓ કોઈપણ રીતે વારંવાર અપાતી નથી. તેથી બહુ વિચારવાથી શું? સુખને આપનાર આ તે જ છે, એમાં સંદેહ નથી. અને જો અસંભવ જ છે, તો તે અસંભવ પણ એકાંતે તેનો જ ન કહેવાય. કારણ કે ભવિતવ્યતાના પુત્રો બધે ફરે છે. આ મહાન હોવાના કારણે પોતાનું ચરિત્ર કહેવા માટે સમર્થ થતો નથી. હોંશિયાર મનુષ્યો તેને જાતે જ જાણતા હોય છે, બીજો (=જે હોંશિયાર નથી તે) માણસ ઘણું કહેવાથી જાણે છે. આવા વિકલ્પોને કરતી તે બાળા કામદેવ વડે તેવી રીતે તાડન કરાઈ કે જેથી તે જાણે પથ્થરમાં નિયંત્રિત કરેલી હોય, અથવા પથ્થરમાં ઘડેલી હોય, અથવા પથ્થરમાં ચિતરેલી હોય તેવી થઇ.
સાગરચંદ્ર કનકમાલાને પરણ્યો. આ દરમિયાન અમિતતેજના યુદ્ધને કોઇપણ રીતે જાણીને શશિવેગ વગેરે બંધુવર્ગ અને વિદ્યુલ્લતા માતા ઘણા વિદ્યાધર સૈન્યની સાથે જલદી ત્યાં આવ્યા. જેણે ઉચિત આદર કર્યો છે એવી પુત્રીને પ્રસન્ન નજરથી જોઈને વિદ્યુતતા જલદી તેની પાસે જઈને તેની સાથે વાતચીત કરે છે. પણ પૂર્વોક્ત અવસ્થાને પામેલી તે કંઈ પણ બોલતી નથી. તેથી ભય પામેલી વિદ્યુતતાએ અમિતતેજ પાસે જઈને તે વૃત્તાંત પૂક્યો. તેણે પણ જે બન્યું
૧. યુરતઃપ્રલયકાળ. ૨. પુરુત્ત વારંવાર. ૩. મા = સંભાવના કરવી, પ્રસન્ન નજરથી જોવું.