SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ३२७ सर्वार्थगोचरं सर्वविषयग्रहणसमर्थं भवति । तदुक्तं-“चितेरप्रतिसङ्कमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनं (यो.सू.४२२) द्रष्ट-दृश्योपरक्तं चित्तं सर्वार्थम् (यो.सू.४-२३)” । यथा हि निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थमेव रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिच्छायाग्रहणसमर्थं, न पुनरशुद्धत्वाद्रजस्तमसी । ततो न्यग्भूतरजस्तमोથાય છે. દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત ચિત્ત જાણે કે દ્રષ્ટારૂપ બનેલું અને વિષયાકારપરિણામને પામેલું ચિત્ત સર્વાર્થગોચર=સર્વવિષયને ગ્રહણ કરવામાં સમર્થ બને છે. યોગસૂત્ર (૪-૨૨/૨૩) માં કહ્યું છેचितेरप्रतिसक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् द्रष्ट्र-दृश्योपरक्तं चित्तं सर्वार्थम् । વિવેચન : આમ ચિતિશક્તિ ચૈતન્યમય પુરુષ નથી વિષયદેશમાં જતો કે નથી વિષયકારને ધારણ કરતી બુદ્ધિરૂપે પરિણમતો એ નિશ્ચિત થયું. એટલે વિષયને ગ્રહણ કરનાર તરીકે ચિત્તને જ માનવાનું રહ્યું. વળી ચિત્ત સ્વગ્રાહ્ય નથી અને ચિત્તાન્તર ગ્રાહ્ય પણ નથી. તથા જ્યાં સુધી ચિત્તનું ખુદનું ગ્રહણ નહીં થાય ત્યાં સુધી તો વિષયનું ગ્રહણ પણ થઈ શકતું નથી એ આપણે જોઈ ગયા છીએ. તો પછી વિષયગ્રહણ શી રીતે થાય? આ પ્રશ્નનો ઉત્તર હવે ઉત્તરાર્ધમાં આવે છે. એનો ટૂંકમાં અર્થ આવો છે-તેથી દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત થયેલું ચિત્ત જ સર્વવિષયોને ગ્રહણ કરે છે. આનો ભાવાર્થ આવો છે-ચૈતન્યના સંન્નિધાનમાં બુદ્ધિ પણ જાણે કે ચૈતન્ય આકારને પામે છે, એટલે કે એ ચેતન જેવી બની જાય છે. અને એટલે જ એ વિષયગ્રહણને સમર્થ બને છે. વળી વિષયદેશને પામીને એણે વિષયાકાર તો ગ્રહણ કર્યો હોય જ છે. માટે એ વિષયગ્રહણ કરે છે. વળી ચિતિશક્તિ, વિષયાકારને ધારણ કરેલી બુદ્ધિવૃત્તિમાં પ્રતિબિંબિત થઈને બુદ્ધિથી અવિશિષ્ટરૂપે-બુદ્ધિથી અભિન્નરૂપે જાણે કે થયેલી છે. માટે એ બુદ્ધિનું સંવેદન કરી શકે છે. આમ, વિષયનું ગ્રહણ કરનારી બુદ્ધિ પણ ગૃહીત થઈ જતી હોવાથી વિષયગ્રહણ શક્ય બને છે. વળી ચિત્ત (બુદ્ધિ) તો ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા ઘટ-પટાદિ સર્વવિષયદેશમાં જઈ શકે છે. માટે ચિત્ત સર્વાર્થગોચર છે એટલે કે સર્વવિષયનું ગ્રહણ કરવામાં સમર્થ છે. વળી, અહીં સર્વઅર્થનો અર્થ ઘટ-પટાદિ સર્વવિષય એટલો જ કરીએ તો તો બુદ્ધિનું પોતાનું અને પુરુષનું ગ્રહણ તો બાકી જ રહી જાય. એ કોણ કરે? એટલે વસ્તુતઃ “ચિત્ત સર્વાર્થગ્રહણ સમર્થ છે' એનો અર્થ ચિત્ત, ઘટપટાદિ સર્વ બાહ્યાર્થ, એનું ગ્રાહક ખુદ ચિત્ત સ્વયં, અને દ્રષ્ટા પુરુષ.. આ બધા જ અર્થનું ગ્રહણ કરવામાં સમર્થ છે એવો અર્થ અહીં સમજવો જોઈએ. એ સર્વનું ગ્રહણ આ રીતે થાય છે-ઘટાદિબાહ્યાર્થથી ઉપરક્ત થયેલું ચિત્ત એ ઘટાદિ બાહ્યાર્થને પ્રત્યક્ષથી જ નિશ્ચિત કરે છે. વળી દ્રષ્ટા એવા પુરુષની ચિત્તમાં છાયા પડી છે. એટલે, દ્રષ્ટાની છાયાયુક્ત આ ચિત્ત દ્રષ્ટા એવા પુરુષનો પણ પ્રત્યક્ષથી બોધ કરે છે. એટલે જ ટિમર્દ નાના એવું સંવેદન થાય છે. આમાં અહં એ ચૈતન્યથી ઉપરક્ત ચિત્તનું સંવેદન છે. તથા ચિત્તવૃત્તિમાં પ્રતિસંક્રાન્ત પુરુષ (ચિતિશક્તિ) જાણે કે બુદ્ધિરૂપ બને છે, તેથી બુદ્ધિનું ગ્રહણ પણ શક્ય બને છે. આમ, વિષયનું, જ્ઞાનનું અને જ્ઞાતાનું. બધાનું ગ્રહણ થતું હોવાથી ચિત્ત સર્વાર્થગોચર છે. શંકા : આનો અર્થ તો એ થયો કે ચિત્ત જ જ્ઞાનનું બુદ્ધિનું-ચિત્તનું પોતાનું ગ્રહણ કરે છે. એટલે કે એ સ્વપ્રકાશ્ય છે. તો પહેલાં એનો કેમ નિષેધ કરેલો ? સમાધાન : ચિત્ત, માત્ર પોતે જ પોતાનું ગ્રહણ કરી શકતું નથી માટે સ્વપ્રકાશ્ય તરીકે એનો નિષેધ કરેલો. પણ પુરુષની છાયા પડવાથી જ્યારે એ સ્વયં ચેતન જેવું બને છે અને પુરુષ ચિત્તની પોતાની વૃત્તિ જેવો જાણે કે બને છે, ત્યારે ચિત્તનું ગ્રહણ ચેતન જેવા બનેલા ચિત્તથી થાય છે. આમ ચિત્ત ગ્રાહ્ય હોવા છતાં દ્રષ્ટાનો
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy