SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ।। ९ ।। क्रोधादीति । पूर्वार्धं गतार्थम् । अयं च शान्तोदात्तो भवगोचरं સ્વરૂપ ત = = ાર્યમૂતે = વિચારયતિ || ૧ || તથાદિ भेदे हि प्रकृतेर्नैक्यमभेदे च न भिन्नता । आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ।। १० ।। भेति । भेदे कान्ततोऽभ्युपगम्यमाने प्रकृतेः = सत्त्वरजस्तमोलक्षणाया ज्ञानावरणादिकर्मरूपाया वा नैक्यमात्मनां संसारिणां स्यात् । तथा चैकजातीयसंसारफलोपलम्भबाध इति भावः । ४६३ = संसारविषयं बीजं = कारणं रूपं = શેખચલ્લીના વિચારોમાં ચઢીને કે રાત્રે સ્વપ્નમાં પોતાની જાતને રાજા તરીકે જુએ તો સ્વબુદ્ધિની કલ્પનાસ્વરૂપ શિલ્પીથી નિર્માણ પામેલું એ રાજાપણું જેમ તાત્ત્વિક હોતું નથી, એમ પ્રસ્તુતમાં જાણવું. (૩) ‘બીજાને જે ભોગસુખ છે, એ એના રૂપયૌવન-ધન વગેરે કારણે છે' આ વાતને જે સમજ્યો નથી, અને માત્ર સ્ત્રી-પુરુષ હોય તો ભોગસુખ મળી જાય એવું જે સમજી બેઠો છે, તે રૂપ વગેરેથી રહિત એવો પણ પુરુષ, પોતાની પાસે પણ પત્ની-સ્ત્રી છે એટલા માત્રથી પોતાની જાતને ભોગસુખથી સુખી માનીને ભોગમાં પ્રવૃત્ત થાય છે. પણ ઊંચી સામગ્રીપ્રયુક્ત ભોગસુખ માણી તો શકતો નથી, એટલે ‘હું સુખી છું' એવાં એના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય છે. વળી ઉચ્ચ ભોગસુખ માણવાની ઇચ્છા પુરાતી નથી, એટલે ફરીથી તો ‘હું સુખી છું' એવું અભિમાન ઊભું જ થઈ શકતું નથી. એટલે, અભિપ્રેત લાગણી અસંભવિત રહેવાથી એ ભોગપ્રવૃત્તિ અવાસ્તવિક બની રહે છે એ જાણવું. ॥૮॥ (શાન્ત-ઉદાત્તની વ્યાખ્યા જણાવે છે) ગાથાર્થ : ક્રોધાદિથી જે અબાધિત છે તે શાંત છે. જે મહાન આશયવાળો છે તે ઉદાત્ત છે. આ જીવ સંસારવિષયક બીજ, રૂપ અને ફળનો વિચાર કરે છે. ટીકાર્થ : પૂર્વાર્ધ ગતાર્થ છે. અને આ 'શાન્તોદાત્ત જીવ સંસારના બીજ=કારણ, રૂપ= સ્વરૂપ અને ફળ=કાર્યને વિચારે છે. વિવેચન : ક્રોધાદિ જીવને વ્યાકુલ કરે છે. અને તુચ્છ આશયવાળા જીવો પુદ્ગલના જ સારા-નરસાપણાંની વિચારણામાં અટવાયેલા રહે છે. એટલે જે શાન્ત-ઉદાત્ત નથી, એને સંસાર સંબંધી આ ગંભીર વિચારણાનો કોઈ અવકાશ હોતો નથી. III તે આ રીતે- (સૌપ્રથમ, સંસારના બીજની કઈ રીતે વિચારણા કરે છે એ જણાવે છે-) ગાથાર્થ : પ્રકૃતિનો ભેદ હોય તો જીવોનું ઐક્ય ન સંભવે અને અભેદ હોય તો ભિન્નતા ન સંભવે. સ્વભાવમાં પણ (ભેદ-અભેદ હોવામાં આ વાત જાણવી.) એટલે શબલતા માનવી ઉચિત છે. ટીકાર્થ : સત્ત્વ-૨જસ્-તમોરૂપ કે જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ પ્રકૃતિનો એકાન્તે ભેદ માનવામાં સંસારી જીવોનું ઐક્ય ન થઈ શકે. અને તો બધામાં સંસારસ્વરૂપ એકજાતીય ફળ જે જોવા મળે છે તેનો બાધ થશે. અને એકાન્તે અભેદ માનવામાં તે જીવોની ભિન્નતા થઈ નહીં શકે. અને તો પછી નરક, તિર્યંચ, મનુષ્ય, દેવાદિરૂપ
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy