SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ द्वात्रिंशदद्वात्रिंशिका चेदमन्यत्रेति नेह विस्तरः ।।३१।। इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावकः । यथाशक्ति ददद्दानं परमानंदभाग् भवेत् ।।३२।। સ્થમિતિસ્પષ્ટ:રૂર IT છે ને! આ બાબતનો વિસ્તારથી વિચાર અન્યગ્રન્થમાં કર્યો છે માટે અહીં કરતા નથી.” જુઓ ધર્મપરીક્ષા શ્લોક ૫૩ની વૃત્તિ. સભાવાનુવાદ મુદ્રિત પુસ્તકમાં જુઓ પૃ. નં. ર૯૯ થી ૩૦૯] પ્રિકરણનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે–] આ પ્રમાણે દાનવિધિનો જાણકાર, ધીર, પુણ્યનો = ધર્મનો પ્રભાવક અને યથાશક્તિ દાન દેતો આત્મા મોક્ષસુખને પામે છે.ફરી દિનબત્રીશીની કેટલીક વિશેષ વાતો - (૧) ભૂખ-રોગ વગેરેથી દુઃખી થયેલાનો તે દુઃખમાંથી છૂટકારો કરવા અપાતું આહાર-ઔષધ વગેરેનું દાન એ અનુકંપાદાન છે. આ અનુકંપાદાન સાંસારિક સુખોને દેનારું હોય છે. આ રીતે અપાતા અનુકંપાદાનમાં એ જીવ સંસારમાંથી છૂટકારો પામી મોક્ષસુખને પામે એવી ગણતરી મુખ્યતયા હોતી નથી, માત્ર તાત્કાલિક દુઃખમાંથી મુક્ત થઇ કંઇક સુખવાળી (સંસારની જ) અવસ્થા પામે એવી ગણતરી હોય છે. તેથી ‘નભાવે યા પુન ઝિરિયા તમારવુદ્ધિવરી’ ‘ક્રિયા જે ભાવથી કરવામાં આવી હોય તે ભાવની વૃદ્ધિ કરનારી બને છે' એ શાસ્ત્રવચન મુજબ આ અનુકંપાદાન પણ બહુલતયા સાંસારિક સુખોને જ આપે છે. આમાં દ્રવ્ય અનુકંપા હોય છે. (૨) વિવલિત એક કે અનેક જીવોના જેટલા પ્રમાણના દુઃખના ઉદ્ધાર માટે દાનાદિ કરવામાં આવતા હોય તેના કરતાં મોટા પ્રમાણના દુઃખો અન્ય એક કે અનેક જીવો પર સાક્ષાત્ કે પરંપરાએ આવી પડતા હોય તો એમાં અનુકંપા કહેવી એ અવિવેક છે એ વાત સ્પષ્ટ છે, તેથી એવા અનુષ્ઠાનને અનુકંપાદાન પણ કહેવાતું * ધર્મપરીક્ષામાં, પ્રસ્તુત શ્લોકની અભિપ્રેત આપવાદિક વિરાધનામાં ‘ચેમનામો નન્યા વર્તનમત્રવતી રા' એવા વાક્યપ્રયોગ દ્વારા અનાભોગજન્યત્વનો અને વર્જનાભિપ્રાયનો નિષેધ કર્યો છે. (જુઓ પુસ્તક પૃ. નં. ૩૦૩) જ્યારે અહીં, વર્જનાભિપ્રાયને જ સ્વતંત્રકારણ કહેવા દ્વારા, નિર્જરાફલક એ વિરાધનામાં વર્જનાભિપ્રાય તો રહ્યો જ છે એવું સૂચન કર્યું છે. તો આ દેખાતા વિરોધનું શું કરવું? એનું સમાધાન નીચે મુજબ કરવું. (૧) ધર્મપરીક્ષામાં, પ્રસ્તુત વિરાધનામાં વર્જનાભિપ્રાય હોવાનો નિષેધ જે કર્યો છે તે, તેમજ નિર્જરાના કારણ તરીકે તેનો જે નિષેધ કર્યો છે એ, આ બન્ને ‘આ વિરાધનાથી છુટું' એવો જે વ્યાવહારિક ચૂલ વર્જનાભિપ્રાય છે એના અભિપ્રાય જાણવો. જ્યારે પ્રસ્તુત ગ્રન્થમાં જે વર્જનાભિપ્રાયને નિર્જરાના કારણ તરીકે કહ્યો છે તે નશ્ચયિક વર્જનાભિપ્રાય જાણવો. સંયમપાલનાદિના ઉદેશથી નદીમાં પાણી ઉતરવાની ક્રિયા રૂ૫ વિરાધના કરવા તૈયાર થઇ ગયેલા મહાત્માને પણ એ પાણીમાં રહેલા જીવોની પ્રાણવિયોગરૂપ વિરાધનાથી કેમ બચું? એવો તાત્ત્વિક વર્જનાભિપ્રાય તો હોય જ છે. (અથવા સંયમપાલનાદિ દ્વારા મોક્ષ પામી એ બધા જીવોની વિરાધનાથી બચું એવો પરિણામે નશ્ચયિક વર્જનાભિપ્રાય તો હોય જ છે.) અથવા બીજી રીતે સમાધાન - પૂર્વપક્ષીનો વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાનો અને સ્વતંત્રકારણ ન માનવાનો જે અભિપ્રાય છે તેનું અહીં ગ્રન્થાકારે ટૂંકમાં ખંડન કર્યું છે. અને ‘વર્જનાભિપ્રાય પણ કારણ નથી, આજ્ઞાશુદ્ધ ભાવ જ કારણ છે' એવી ઉપરની જે કોટિ છે તેનો ધર્મપરીક્ષામાં વિસ્તાર કર્યો છે. તેમજ અહીં “ વિશ્વરં ચેકન્યત્ર' શબ્દથી એનો અતિદેશ કર્યો છે. માટે આ બે ગ્રન્થાધિકારોમાં વાસ્તવિક કોઇ વિરોધ નથી એ જાણવું. (આવા સમન્વયની વિસ્તૃત નોંધ માટે ધર્મપરીક્ષા મુદ્રિત પુસ્તકના પૃ. નં. ૩૦૯ વગેરેની ટીપ્પણી જોવી.]
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy