SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૧૫૭ - તેજ છે. વળી અતિ અલિષ્ઠ રાજાની સાથે સર્વ અનના સ્થાનરૂપ એવા સંગ્રામને નીતિશાસ્ત્રજ્ઞ જના પસંદજ કરતા નથી. કહ્યું છે કે:अनुचितकर्मारंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि " ॥ १॥ 46 -- “ અનુચિત કાર્યના આરંભ, સ્વજનની સાથે વિરોધ, ખલવતની સાથે સ્પર્ધા અને સ્ત્રીજનના વિશ્વાસ એ ચાર મૃત્યુના દ્વાર છે. ” આ પ્રમાણે સાંભળીને પેાતાના ભુજખળથી ગર્વિષ્ઠ થયેલ, કંઇક ક્રોધ અને ઉદ્ધતાઇથી જેની મતિ ગલિત થઇ ગઇ છે અને પેતાનાજ વિજય માનતા એવા જિતારિ રાજાએ પ્રધાનને કહ્યુ` કે:“ હું મંત્રિન્! પોતાની પુત્રી દુરાચારી રાજાને આપીને જે રાજ્ય ભાગવવું, એ ક્ષત્રિયાને નિત્ય સ્વકુળના લાંછનરૂપ છે. રણાત્સવ પ્રાપ્ત થતાં જયશ્રીમાં લંપટ એવા ઉત્તમ ક્ષત્રિય ચદ્ધાએ પેાતાના જીવિતને શ્રૂત્કાર જેવું માને છે. વળી હે મંત્રિન્ શૂરવીર જનાને કદાચ રણસાગરમાં મરણ થાય, તેા દેવાંગનાના સગ મળે અને જીવતા રહે તા જયશ્રીના સમાગમ થાય. કહ્યું છે કે: “ નિતે ન લક્ષ્યતે લક્ષ્મી વૃંતે રાવિ સુરાનના | क्षणविध्वंसिनि काया, का चिंता मरणे रणे ॥ १ ॥ क्षत्रियाः समितेर्नष्टाः, क्रियाभ्रष्टा द्विजातयः । लिंगिनः शीलमुक्ताश्च, त्रयोऽमी पापपांशवः ॥ २ ॥ '' જય થાય તેા લક્ષ્મી અને મરણ થાય તે સુરાંગના મળે. આ શરીર તા ક્ષવિધ્વંસી છે, માટે મરણુ કે રણની ચિંતા શી કરવી ? સગ્રામમાંથી પલાયન કરી ગયેલા ક્ષત્રિયા, ક્રિયાથી ભ્રષ્ટ થયેલા બ્રાહ્મણેા અને શીલરહિત સંન્યાસીએ એ ત્રણે મહા પાપી કહેવાય છે.” આ પ્રમાણે મંત્રીને ક્હીને રાજાએ યુદ્ધની સામગ્રી તૈયાર કરાવી. જૈવ વિપરીત થાય, ત્યારે શું પ્રાણી હિતવચન માને ? પછી તે રાજાઓના અને સૈન્યનું પરસ્પર સમસ્ત વિશ્વને
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy