SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર સમ્યકત્વ કૌમુદી-સતી સોમાનું વૃત્તાંત. મેઘધ્વનિથી મયૂરીની જેમ ઉત્કંઠિત હૃદયવાળી એવી મા પણ પોતાના પ્રિયતમ સહિત વંદન કરવા ત્યાં આવી. એટલે કરૂણાના સાગર એવા ગુરૂમહારાજે તેમના પર અનુગ્રહ કરીને સુધાના સ્વાદસમાન વાણુથી ધર્મને ઉપદેશ આપ્યો કે – “સંતતિમંદિર પુનરાવીરસ્થિતેિના , सर्वापत्प्रकटपवासपटहः सिद्धिश्रियः कार्मणम् । धर्मः प्राणिदयासुसत्यवचनास्तेयादिरुपो महा - भाग्यादेव शरीरिभिर्जिनपतिप्रोक्तः समासाद्यते" ॥१॥ શ્રેય શ્રેણીના મંદિરરૂપ, સુરેન્દ્ર અને નરેદ્રની સ્થિતિમાં લઈ જનાર, સર્વ આપત્તિઓને બહિષ્કાર કરવામાં જાહેર પટહ સમાન, સિદ્ધિશ્રીનું એક કાર્પણ અને જીવદયા, સત્ય વચન, અસ્તેયાતિરૂપ તથા જિનભગવતે પ્રરૂપેલ એવા ધર્મને પ્રાણીઓ મહાભાગ્યથી જ પામી શકે છે.” તે ધર્મના શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધારૂપ સમ્યકત્વને સુજ્ઞ જનોએ કારરૂપ કહેલ છે. આ સંસારમાં પ્રાણીએ સર્વ સંપત્તિ મેળવી હશે, પરંતુ શુદ્ધ સમ્યકત્વ તે પ્રાય: તેણે કદી મેળવ્યું જ નથી. જે એક વાર પણ સુધાના આસ્વાદ સમાન એવા તે સમ્યકત્વને લાભ થાય, તે સુજ્ઞજને ભવ્યપણને નિશ્ચય કરી લે, સમ્યકત્વથી સંશુદ્ધ એવું સ્વ૫ પણ જે જેનઅનુષ્ઠાન (ધાર્મિક ક્રિયા) કરવામાં આવે, તો તે અવશ્ય બહુ નિર્જરાના કારણરૂપ થાય છે. કહ્યું છે કે – ની આસ્થા કરી મેળા મેળવી , તે નાળી તિ િમુત્તો, વિવેકસાસમિત્તેજ.” | શા અજ્ઞાની જે કર્મ અનેક વર્ષ કેટી સુધી ખપાવે, તે કર્મ જ્ઞાની ત્રણ ગુપ્રિ સહિત થઈને એક શ્વાસમાં ખપાવી શકે છે.” સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જે પવિત્ર એવા ચારિત્રને લાભ થાય, તે ભવ્ય જી એક કે બે ભવમાં મેક્ષ પામી શકે છે.
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy