________________
(સંજુ
મા મુદ]
એક વાર એક શહેરની મોટી લાઈબ્રેરીમાં જવાનું થયું. લાખો પુસ્તકો ધરાવતી એ લાઈબ્રેરીમાં વિષય મુજબ વિભાગો પાડેલા હતાં. ધર્મ-સમાજરાજ્ય-ઈતિહાસ આદિ અનેક વિષયોના વિભાગોમાં
એક વિભાગ હતો અર્થશાસ્ત્રનો. લાઈબ્રેરીનો ઘણો મોટો ભાગ એ વિભાગે રોકેલો હતો. એ જોઈને વિચાર આવ્યો કે આટલા બધા... અધધધ થઈ જાય એટલા બધા પુસ્તકો... કરોડો કરોડો પાનાઓ ભરીને લખાણ... પણ એ બધાનું તાત્પર્ય શું ? અર્થોપાર્જન કેમ કરવું ? How to earn money ?
જ્યારે આ પ્રસ્તાવના લખી રહ્યો છું, ત્યારે વિચાર આવે છે કે અબજો અબજો અબજો પાના ભરાઈ જાય એવી વિરાટ દ્વાદશાંગીનું તાત્પર્ય શું ? પ્રભુ વીરે ચંડકૌશિકને જે ઉપદેશ આપ્યો હતો - વુન્ન વુક્સ' એ જ ને ? તું એક વાર બોધ પામ, તું એક વાર જાગ, બસ... પછી તને કાંઈ કહેવાનું રહેતું નથી. ભડકે બળતા ઘરમાં ભર નિદ્રામાં પોઢેલી વ્યક્તિને ભાગવાનું કહેવાનું હોય ? કે જાગવાનું કહેવાનું હોય ? બસ... એક વાર એ જાગી જાય, એટલે એને ભાગી જતા તો કાચી સેકન્ડની ય વાર લાગવાની નથી. - આ જ આશયથી શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે - જે નીવે ! પૃષ્ણ માં મુન્ન – રે જીવ ! તું જાગ, તું તારી મોહનિદ્રાને ખંખેરી નાખ. શાસ્ત્રકારોનું તો એક જ લક્ષ્ય છે કે અનાદિકાળથી મોહનિદ્રામાં પોઢેલો જીવ સફાળો બેઠો થઈ જાય. આ જ લક્ષ્યને પોતાના નામથી જ જણાવી દેતો ગ્રંથ એટલે સંબોધસપ્તતિ. | ‘ગાગરમાં સાગર’ કહો, ‘એક વચનથી અજવાળું' કહો, કે ‘શોર્ટ એન્ડ સ્વીટ’ કહો. માત્ર પંચોતેર ગાથાના આ ગ્રંથમાં કયો વિષય નથી