________________
५४
.. श्रामण्योपनिषद् શુદ્ધ ક્રિયા ન કરી શકે, તો તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુંએ કરી, જિન-શાસન-થિતિ-રાખ. ૧૭ ઉસત્નો પણ કર્મ-રજ, ટાલે પાસે બોધ; ચરણ કરણ અનુમોદતાં, ગચ્છાચારે' શોધ. ૧૮ હીણો પણ જ્ઞાને અધિક, સુંદર સુરૂચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલો, બોલે ઉપદેશમાલર. ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્ કલ્પ ભાષે વલી, સરખા ભાષ્યા જાણ. ૨૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિ-ભેદ પણ તસ નહિ, ભૂલે ભોલા લોક. ૨૧ જોડ્યો હાર જવેહરી, જ્ઞાને જ્ઞાની તેમ; . હિમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાચજો, પંચાશક અવલોય. ૨૩ જેહથી મારગ પામીયો, તેમની સામો થાય; કૃતદિન તે પાપીયો, નિશ્ચય કરકે જાય. ૨૪ સુંદર-બુદ્ધિપણે કથ્થો, સુંદર શ્રવણ થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. ૨૫
૧. જુઓ તેની ગાથા ૪૧૨ થી ૪૧૫. ૨. જ્ઞાનાચારે. ૩. પ્રત્યેનીક.