________________
५२
श्रामण्योपनिषद्
પરિશિષ્ટ-૨
શ્રી યતિધર્મ બત્રીશી સંજમ બત્રીશી ભાવ-યતિ તેહને કહો, જિહાં દશવિધ યતિધર્મ; કપટ ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ. લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. વચન ધર્મ નામે કથ્યો, તેહના પણ બિહું ભેદ; આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ; બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. મદ્દવ, અજ્જવ, મુત્તિ, તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭
१. खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥
૨
૫
૬
-ક્ષાન્તિ-ક્ષમા, માર્દવ-મૃદુતા-કોમળતા, આર્જવ-ઋજુતા-સરલતા, મુક્તિ-લોભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ-નિરતિચારતા, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ (દશ) યતિધર્મ છે – પ્રવચન સારોદ્વાર ગાથા. ૫૫૪.