SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ થઈને પસાર થઈ જાય, ખસવાની જગ્યા જ નહીં. જાણે માથે લટકતી તલવાર. કઈ સેકન્ડે મોત આવે, એ કહી ન શકાય. મન ઉચ-નીચુ થઈ ગયું, કે આનો વિકલ્પ શું? પણ શાંતિથી વિચાર કરતા એમ લાગ્યું કે મોત તો પ્રત્યેક ક્ષણે લગોલગ જ છે. જેવું જોખમ એવા વિહારમાં છે એવું જ જોખમ ઉપાશ્રયમાં પણ છે. દુનિયા મારા પગે પડે, મારી પ્રશંસા કરે, ‘આ છે અણગાર અમારા....' ઈત્યાદિ બિરુદાવલીથી મને ગમે તેટલો ઉપર ચડાવે, પણ તો ય મારા માથે એક બોસ છે, જેનું નામ છે મૃત્યુ. એ કોઈ પણ સમયે મારી બદલી કરી દેશે. એ મને કોઈ પણ સ્થળે નાખી દેશે. એ મને મહારાજ સાહેબમાંથી મકોડો પણ બનાવી દેશે. એ મને શ્રમણમાંથી થાન પણ બનાવી દેશે. એ મને અધમમાં અધમ સ્થાને પણ નાખી દેશે. પૂર્વકાળના રાજાઓ યુદ્ધ જીતીને આવે ત્યારે એમને એવો અહંકાર થઈ જતો “પ્રવUક્યો’િ - હું અજંક્ય છું. મારો કાન પકડનાર, મને શિક્ષા કરનાર કોઈ નથી. તે સમયે તેના ગુરુઓ તેને કહેતા ‘ધર્મUSચો.સિ’ – હે રાજન્ ! એમ નહીં સમજો કે તમે તન અદશ્ય છો. કારણ કે તમારે માથે પણ ધર્મસત્તા છે અને તમે ભાન ભૂલશો તો એ તમને સજા કરશે. गुरुरात्मवतां शास्ता शास्ता राजा दुरात्मनाम्। अथ प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः॥ (મહાભારત -ર- ૧) આત્મહિતાર્થી જીવોનું અનુશાસન ગુરુ કરે છે. કારણ કે તેઓ ગુરુને સમર્પિત બની જાય છે. જેઓ સ્વછંદ પણે પાપાચાર સેવે છે, તેમને રાજા સજા કરે છે. પણ જેઓ રાજા વગેરેથી ય બચી જાય છે. જેઓ પોતાના પાપોને છુપાડી રાખે છે. જેઓ પોતાના પાપો જાહેર થવા છતાં પાપાનુબંધિ પુણ્યના ઉદયે શિક્ષા પામતા નથી. તેમનું અનુશાસન તો સૂર્યપુત્ર (૧૯)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy