SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કહી છે. એ સર્વ ન કરવામાં પણ જિનાજ્ઞાભંગ દ્વારા ઉપરોક્ત ભયંકર પરિણામો સમજી લેવા જોઈએ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે શાસ્ત્રીય વિધાનો અને નિષેધોનો ઔદંપર્યાર્થ – તાત્પર્યાર્થ હોય તો એ એક જ છે કે આજ્ઞા એ જ ધર્મમાં સારભૂત છે - મા ધર્મામિ સાત્તિા (ઉપદેશપદ-૮૮) સમિતિ વગેરે અંગે આગળ ગ્રંથકારશ્રી પ્રેરણા કરવાના છે માટે અત્રે એનો વિસ્તાર નથી કરતા. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા કરે તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે કોઈ આચારમાં તારી ચુસ્તતા નથી, તો પછી તે મોક્ષના નામે માથે મેરુ ઉપાડી લે તો કોઈ લાભ થવાનો નથી. જો વેષ માત્રથી જ સંસારનો અંત આવી જતો હોત, તો નાટકિયાઓની પણ મુક્તિ થઈ જાત. પણ એવું તો થતું નથી. માટે વેષ માત્રથી મુક્તિ અસંભવિત જ છે. વેષ તો ધર્મરક્ષા અને લોકઅભિજ્ઞાન માટે છે. ઉપદેશમાલામાં - કહ્યું છે धम्मं रक्खइ वेसो संकइ वेसेण जह दीक्खिओम्हि। ૩મો પડંત રમવું ૨ાયા નવચં વાા ૨૨ . વેષ ધર્મની રક્ષા કરે છે. વેષથી પાપ કરવામાં ખટકો રહે કે હું તો દીક્ષિત છું, મારાથી આવું શી રીતે કરાય ? અને આ રીતે એ આત્મા પાપથી બચી જાય. જેમ રાજા દેશને ઉન્માર્ગે જતા બચાવી લે એમ વેષ પણ આત્માને ખોટું કામ કરતાં બચાવી લે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેपच्चयत्थं च लोगस्स णाणाविहवियप्पणं। નત્તë પર ધિં નો ત્રિાપોળ -રૂરી ( ૧૬ ).
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy