SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નથી હોતી. જ્યાં સુધી પકાયસંચમ છે, ત્યાં સુધી બંનેની અનુવૃત્તિ થાય છે. || ૧૨ ll સામાન્યથી સંયમીઓ વિના તીર્થ નથી હોતું. (વિશેષ-સ્નાતક વગેરે વિના હોઈ શકે. પણ એક પણ સંયમી ન હોય અને તીર્થ હોય, એવું ન બને.) તીર્થ વિના નિગ્રંથો પણ નથી હોતા. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોનો જ આ નિયમ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે- હે ભગવંત ! પુલાક તીર્થમાં હોય ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં ન હોય. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ સમજવા. પછી કષાય કુશીલની પૃચ્છા કરે છે. ગૌતમ! તીર્થમાં હોય અથવા અતીર્થમાં હોય. જો અતીર્થમાં હોય તો શું તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય ? ગૌતમ ! તીર્થંકર હોય અથવા પ્રત્યેકબુદ્ધ પણ હોય. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ સમજવા. (ભગવતીસૂત્ર શતક-ર૬, ઉસ-૬) માટે જ્યાં સુધી પકાયસંયમ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવનાકુશીલ બનેની અનુવૃત્તિ ચાલશે, એવો અહીં અર્થ-છે उत्तरार्द्धमेव विवृण्वन्तिजा संजमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य। इत्तरिअछेअसंजम, निअंठबकुसायपडिसेवी॥ १३॥ यावत् संयमता जीवेषु, शेषगुणाभावेऽपि यावत् षड्जीवनिकाय-यतनामात्रमपि लभ्यते, तावन्मूला मूलगुणा उत्तरगुणाश्च, यावदेते तावदित्वरछेदसंयमौ सामायिकसंयमच्छेदोपस्थानीयसंयमौ यावच्चैतौ तावनिर्ग्रन्थौ बकुशायप्रतिषेविणौ आयो ज्ञानादिलाभः, तस्य प्रतिकूलं सेवन्ते चेष्टन्ते आयप्रतिषेविणो (૧૯૯)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy