SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનની પંક્તિઓ છે- જે તે વર્યા વેગળા તે મેં આવા લીધા - પ્રભુએ જેનું વર્જન કર્યું અને તું વરી ગયો અને પ્રભુ જેને વર્યા એનું તે વર્જન કર્યું. હાય પ્રભુ સાથેની આ તે કેવી આડાઈ ! જિનાજ્ઞા સાથેની તારી આ તે કેવી વક્રતા! મન-વચન-કાયા.. બધું જ તારું કલંક્તિ છે, સમ્યગૃષ્ટિ દેવતાઓ નીચે ઉતરે તો શાસનપ્રેમને કારણે તને કડક સજા કરે. તારો મોહરો જો ઉતરી જાય તો તારા ભક્તો જ તને લાકડીએ લાકડીએ ફટકારે, તારો ભાંડો જો ફૂટી જાય તો દુનિયા ચાર મોંએ તારી નિંદા કરે. તો ય તું શેખચિલ્લીના સપના જુએ છે? મહાચારિત્રીને પ્રાયોગ્ય લબ્ધિઓના અભરખા કરે છે ? માત્ર સાધનાથી જ મળે એવી સિદ્ધિઓને સાવ મફતમાં ઈચ્છે છે ? ઓ આત્મન્ ! મને કહેવા દે, કે તું તારા મનોરથોથી જ ખતમ થઈ જવાનો છે. આશય એ છે કે તારા મન-વચન-કાયાના કલંકો તો તારો સત્યાનાશવાળી શકે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ આટલા કલંકો વચ્ચે પણ તું લબ્ધિ ને સિદ્ધિની ઈચ્છા કરે છે ને ? એ ઈચ્છા જ તારો સત્યાનાશ કરવા પૂરતી છે. मनोवशस्ते सुखदुःखसङ्गमो, मनो मिलेद्यैस्तु तदात्मकं भवेत् । प्रमादचौरैरिति वार्यतां मिलછીનિિમત્રનુષાંનિશમ્ ા ૪૨ તને સુખ-દુઃખનો જે સંગમ થાય, તેમાં કારણ છે તારું મન. અને મન જેની સાથે મળે છે એની સાથે એ તન્મય થઈ જાય છે. માટે પ્રમાદરૂપી ચોરો સાથે મળતા મનને તું અટકાવી દે અને શીલાંગરૂપી મિત્રો સાથે સદા માટે જોડી દે. (૧૨૮)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy