SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ, ભરત ચક્રવર્તી, ભરતના ૯૮ ભાઈઓ, બાહુબલી, શ્રીરામ તેનાભાઈ ભરત, શિવકુમાર, પૃથ્વીચંદ્ર, થાવગ્ગાપુત્ર, શ્રી જંબુસ્વામિ આદિ વિશેષ કારણ ન હોવા છતાં પણ રાગાદિ સેવક ઉપર પણ વત્સલ ભાવના વિઘટનથી (તૂટવાથી) ભવાન્તરે શિવ સુખને પામ્યા તેવીરીતે કલિકાલના જીવો પામતા નથી. ઘસાયેલ જીર્ણ ઝુંપડી, બળદ, નોળિયાઓથી વ્યાપ્ત, ધાન્ય વગરની, કાળી, કાણી, કુરૂપી, કટુ બોલવા વાળી અને સ્નેહ વગરની સ્ત્રી ખોડખાંપણવાળી, (ત્રિદંડીવાળી, કાનથી વિકલ.) ગધેડી દ્વારમાં ભૂકી રહી છે. આવી સંપદા '(ઋધ્ધિ) જીવોના હૃદયમાં રમે છે. હા ! મોહ ચેષ્ટા કેવી છે ? ઈત્યાદિ સામગ્રીને વિષે પણ શરીર ધનનું સામર્થ્ય વિ. ન હોવાછતાં પણ ઘણો ગુનો ઉપદેશ સાંભળવા છતાં પણ પ્રાયઃ રાગદ્વેષનો ત્યાગ ન કરવાના કારણે મોક્ષ પ્રાપ્ત થતો નથી. અહીંયા રાગનો ત્યાગ ન કરવામાં શ્રી ગૌતમસ્વામિ વડે નિર્ધામણા કરાવાયેલો પત્નીના માથાના ઘામાં કીડા રૂપે ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠિ, શ્વેતઅંગુલી આદિ છ પુરુષો, રાજાને ઘોડારૂપ બનાવનારી પરણેલી રાણી, બે પત્નીવડે મકાનના મેડા ઉપર ખેંચવાના કારણે સર્વઅંગ ઉપર જેને ઘા થઈ ગયેલા છે તેવો મંત્રિ, પત્નિના બે સ્તન ઉપર હાથ રહ્યા છે તેવો પુરુષ, કાણો થયેલો એવો મૂર્ખ વિ. ના દ્રષ્ટાંતો જાણવા. રાગાદિ ને વશ સ્ત્રીઓ પતિનું દાસીપણું પણ કરે છે. અગ્નિમાં પણ પ્રવેશે છે. નરસુંદર રાજા અને તેની રાણીની જેમ મરે પણ છે. અને ભાવ શ્રેષ્ઠિની પત્નીની જેમ પણ મટે છે. દ્વેષનો ત્યાગ ન કરવામાં ઉદાયિ રાજાને મારનારો વિનયરત્ન, કમઠ વિ. ના દ્રષ્ટાંતો જાણવા વર્તમાન કાલમાં તેવા પ્રકારના જીવો (ઘણાવે છે. તે અનુભવ સિધ્ધ છે. તે માટે દ્રષ્ટાંતોની જરૂર નથી. એ પ્રમાણે આગળ પણ સમજવું. તેવીરીતે મિથ્યાત્વાદિને વિષે મનનું અચલપણું હોવાથી અચલચિત્તવાળા કહ્યા છે. જેવી રીતે શ્રી ગૌતમ ગણધર, આનંદ વિ. દશ શ્રાવકો, સુદર્શન શ્રેષ્ઠિ, શુક ભટ્ટારક, ઈન્દ્રનાગ, પ્રદેશ નૃપ, આમ્રભટ્ટ વિ. અને પાંચસો પરિવ્રાજક વિ. કલિકાલમાં પણ સત્યુગની વિવક્ષાથી ગોવિન્દ વાચક, હરીભદ્ર બ્રાહ્મણ મિ કે નમન .. *.* * * * * | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 149)મ.અ.અં.૩, તા-૨ • • • • ::::::::::::::::::::: ::::::::::::::::::::- -::::::::::::: ::::::::::::::::::::::::::::::]
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy