SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા દેવના પ્રભાવથી સંકટમાં પડેલા રાજાએ તાપસ પરનો રાગ છોડી સાચો ધર્મ સ્વીકાર્યો. ' તે સંબંધમાં આ ઉદાયન રાજાનો સંબંધ કહ્યો. એ પ્રમાણે શ્રી પાર્થપ્રભુ કાયોત્સર્ગમાં હતા ત્યારે સતતું મુશળધાર વર્ષાદાદિનો ઉપસર્ગ કરનાર દ્વેષી કમઠને ધરણૂંઢે તેવા પ્રકારના પ્રભાવથી પાછો વાર્યો અને તે કમઠ ક્ષમા માંગી ધર્મમાં સ્થિર થયો. યુધ્ધ - વધાદિ રુપ પાપથી જ રાજ્યાદિ સકલ કલ્યાણકારી વાંછીત પ્રાપ્ત થાય છે. એવું બોલનારા ધર્મષી પાપબુધ્ધિરાજાને કામકુંભ, દીવ્ય લાકડી, સર્વઉપદ્રવ હરનારી ચામર, ત્રણ કન્યા સાથેનું પાણિગ્રહણ, દિવ્ય પલંગ, શ્વેત અને લાલ એમ બે કલર ની સોટી, રાજ્યાદિ ની જલ્દી પ્રાપ્તિ તે શ્રેષ્ઠ ધર્મના ફલ રૂપે તેવું બતાવવા વડે સુબુધ્ધિમંત્રીએ પ્રતિબોધ કર્યો. વળી પૂર્વભવમાં ધર્મની કંઈક વિરાધના થી ધર્મમાં મૂઢ મેતાર્ય મુનિને દેવોએ સંકટમાં પાડીને ધર્મમાં સ્થિર કર્યા છે. કમલશ્રેષ્ઠિ જે મશ્કરીથી કુંભારની ટાલના દર્શનના અભિગ્રહ થી નિધાનની પ્રાપ્તિ વડે ધર્મ પામ્યા હતા. પૂર્વે ભ્રમિત ભૃગુ પુરોહિતના બે પુત્રો સાધુના પાત્રમાં રહેલા આહાર અને સાધુના અહિંસાદિ ધર્મના આચરણથી ઉત્પન્ન થયેલા જાતિસ્મરણથી પ્રતિબોધને પામ્યા આદિ વિશેષ દૃષ્ટાંત જાણી લેવા. રાગી આદિને બોધિ દુર્લભ છે. એ પ્રમાણે વિચારીને હે ભવ્ય લોકો ! માધ્યસ્થ ભાવને ધરનારા બનો. જેથી કરીને જય રૂપી લક્ષ્મીને આપનારો ધર્મ સુલભ બને. ઈતિ. | ઈતિ તૃતીય તરંગ સમાપ્ત છે તરંગ - ૪ || આ પહેલાના તરંગમાં ચાર જણા ઉપદેશને અયોગ્ય બતાવ્યા તેમાં મૂઢ માણસના કેટલાક ભેદો અયોગ્ય છે તે કહે છે. : THidayswaminarashdasassagmaaaaaashishaniwangin: gazaanaashan 19888888888888888888888888888888888888કશા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)| તરંગ - ૩-૪ aaaaaaaaaaaa #aaaaaaaaaaaaaaaaaaaaaaaaaz
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy