SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ * વળી બીજા વન સમાન જિનેશ્વર ભ. ને કહેલો દેશવિરતિ રૂ૫ ગૃહસ્થ ધર્મ છે. જેવી રીતે બીજા વનમાં ઘણા ઝાડો સાર રૂપ અને કેટલાક અસાર પણ હોય છે. તેવી રીતે દેશવિરતિ રૂપ ગૃહસ્થ ધર્મમાં દેશથી (સામાન્યથી) જીવદયા, સત્ય, શૌચ, શીલ, સંતોષ વિ. સર્વ સારરૂપ જ છે. શ્રી જિન પૂજા, તીર્થયાત્રા અને સુપાત્રદાન વિ. આ ભવમાં પણ તેવા પ્રકારનો યશ, પ્રતિષ્ઠા, પ્રાયઃ દેવની સહાય વિ. સુખનું કારણ હોવાથી અને પરલોકમાં બારમાં દેવલોક સુધીના સુખ સંપત્તિની પ્રાપ્તિનો હેતુ હોવાથી સાર રૂપ છે. અહીંયા ઘણાં દૃષ્ટાંતો પણ પ્રસિધ્ધ છે. વળી કેટલાક તેમાં આ લોક સબંધી કુટુંબના પાલન આદિને માટે દેશવિરતિના વચનથી અપ્રતિષેધ (જની ના પાડી નથી તે) ખેતી વિ. અને પાણિ ગ્રહણ વિ. આરંભો પાપના હેતુ (કારણ) હોવાથી અસાર છે. ઈતિ બીજો ધર્મ ભેદ થયો. વળી આસ્તિક એવા મિથ્યા દર્શનીનો ધર્મ ત્રીજા વન સરિખો છે. જેવી રીતે ત્રીજા વનમાં ઘણા સાર વિનાના (અસાર) વૃક્ષો હોય છે. વળી કેટલાક સારરૂપ પણ હોય છે. તેવી રીતે તે ધર્મમાં ગાળ્યા વિનાનું પાણી, સ્નાન, રાત્રિ ભોજન, કંદમૂળ વિ. ખાવાનું, દેવ પૂજા, યજ્ઞ વિ. ના બહાનાથી બકરાવિ. જીવનો વધ. ગોળ, સુવર્ણ વિ. અને ગાયનું દાન, અગ્નિહોત્ર, પંચાગ્નિની સાધના વિ. કન્યા વિ. નું દાન, કન્યા દાનના ફલ (ધન) માટે નપુંસક સાથે વિવાહ વિ. જે તે ખોટી કલ્પનાઓથી જીવવધ, અસત્ય, ચોરી, અબ્રહ્મ વિ. માં દોષ રહિત પણું અને વિસ્તાર વિ. પ્રાયઃ બધાય એક પાપ રૂપ હોવાથી અને દુર્ગતિ રૂપ ફલના કારણ હોવાથી અસારજ છે. અને અબ્રહ્મ વિ. ની અનુજ્ઞાનું પ્રતિપાદન સ્મૃતિ વિ. માં છે તેમ આત્રેય સ્મૃતિમાં કહ્યું છે કે જાર પુરુષથી સ્ત્રી દોષવાળી બનતી નથી, દહન કર્મથી અગ્નિ દુષિત થતો નથી, મૂત્ર વિષ્ટા થી પાણી દુષિત થતું નથી, વેદ કર્મથી બ્રાહ્મણ દુષિત થતો નથી llll. દુષિતનારી ત્યાજ્ય નથી, એના ત્યાગનું વિધાન નથી સ્ત્રી જ શ્રેષ્ઠ દ્રવ્ય છે તે ક્યારે પણ દુષિત બનતી નથી રા ઈત્યાદિ. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 292 અંશ, તરંગ-૬] BRAAARRRRRRRRABRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRASBRRRASSASIRRARBRRRRRRRRRRARBRA gaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa9 નાક tugagggggT 2 BHELHIHTggggggggarwalluuuuuuut I LIEBERHIBIHiti Haataaaaaaaaaહ્માક્ષaaaaaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy