SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાહજીક (અચાનક) પગ ઉપર મસ્તક વડે સંઘટ્ટો કરતાં વંદન કર્યું. વંદન કરતાં તે અસંયતીઓએ જોયું. એક વખત તેમને તેઓની આગળ શ્રતના અર્થને કહેતાં એજ મહાનિશિથના પાંચમાં અધ્યયનના વ્યાખ્યાનમાં આ પ્રમાણેની ગાથા આવી આંતર કારણ ઉત્પન્ન થયે છતે પણ સ્ત્રીના કરનો સ્પર્શ અરિહંત કરે તો પણ મૂલ ગુણથી મુકાઈ ગયેલા તેમનું સંયમ ચાલ્યું જાય છે, તેથી અંતરમાં શંકા વડે વિચાર્યું કે સાધ્વીનું વંદન આ અસંયતીઓએ જોયું છે અને સાવઘાચાર્ય એ પ્રમાણેનું નામ પાડશે બીજી વાત પ્રરૂપતાં મોટી આશાતના અને અનંત સંસારી બનીશ તો હવે શું કરવું ? અથવા જે થવાનું હોય તે થાય. જેવું છે તેવું જ કહું એ પ્રમાણે વિચારીને ગાથાનો જે અર્થ હતો તે કર્યો ત્યારે તે પાપીઓએ કહ્યું કે જો એ પ્રમાણેનું મૂલગુણ હીન તત્વ હોવા છતાં પણ આ સાધ્વી વડે વંદન કરાતા જોયા છે પછી અપયશના ડરવાળા એવા તેમણે વિચાર્યું શું ઉત્તર આપું ? આચાર્યાદિએ મન, વચન, કાયાના યોગ (વ્યાપાર) વડે કોઈપણ પ્રકારનું પાપસ્થાન સેવવા યોગ્ય નથી જે સેવે છે. તે અનંત કાલ સુધી સંસારમાં ભમે છે. આ પ્રમાણે તેમને વિલખા (શરમિંદા)-બનેલા જોઈને તેઓ બોલ્યા. કેમ પ્રત્યુત્તર આપતા નથી (બોલતા નથી, તેમણે વિચાર્યું શું કહું ? પછી તેમણે લાંબા કાળ સુધી વિચારીને કહ્યું અયોગ્યને સૂત્રાર્થ આપવા ન જોઈએ કાચા ઘડામાં નાંખેલું પાણી જલનો અને ઘડાનો એમ બન્નેનો નાશ કરે છે. આ સિધ્ધાંતનું રહસ્ય અલ્પ પાત્રમાં નાશ કરે છે. એટલે કે અયોગ્ય જનને આપવાથી જ્ઞાનનો અને પાત્રનો એમ બન્નેનો નાશ થાય છે. એવું આગમ વચન છે. : તેઓએ કહ્યું- સંબંધ વિનાનું કેમ બોલો છો નજર સામેથી દૂર થાઓ અહો ! તમને પણ તમારા જેવાને પણ) સંઘે પ્રમાણ કર્યા છે પછી તે લાંબુ સંસારી પણું સ્વીકારીને એટલે કે સંસાર વધે તો વધે એમ ધારીને બોલ્યા આગમ ઉત્સર્ગ અને અપવાદ વડે રહ્યું છે. તમે જાણતા નથી “એકાંત મિથ્યાત્વ છે. અનેકાન્ત જિનેશ્વર ભ. ની આજ્ઞા છે. છે તે દુષ્ટોએ તેના તે વચનને પ્રશંસા પૂર્વક માન્યા. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (209) અંશ-૨, તરંગ-૧૧ # ahiranitugaaaaaaa4838B9%8-BaaaBaahuanitions titagggggggggggBBIELHI II/I/WEIGHEEEEEEEEEEGandhiHitutifutiHEIRHELPHABRRRBIEBERHAH Haiting #tween HE ENTRY FREE
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy