SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કિલ્લો કોઈ પણ રીતે જીતવા માટે શક્ય ન લાગતાં રાજાએ સૂરિજીને પૂછ્યું હે ભગવન્! આ કિલ્લો કેવી રીતે જીતી શકાય ? સૂરિજી એ પ્રશચુડામણિ શાસ્ત્રાદિનો વિચાર કરીને કહ્યું કે તારો પૌત્ર ભોજ આ કિલ્લાને ગ્રહણ કરશે. (જીતી લેશે) પછી હઠાગ્રહ કરીને રાજા બાર વર્ષ સુધી ત્યાંજ રહ્યો. ત્યારબાદ દુદુક નામના પુત્રને પુત્ર જન્મ્યો. પારણામાં સૂતેલા એવા તેને જન્મતાંની સાથેજ પ્રધાનો કિલ્લાની નજીક લઈને આવ્યા. અને કિલ્લાની સામે તે બાળકના મુખને કરીને તે કિલ્લો ગ્રહણ કર્યો પરંતુ કિલ્લાનો અધિષ્ઠાયક યક્ષ કિલ્લામાં રહેલા લોકોને હણી નાંખે છે. તેથી ત્યાં જઈને રાજાએ કહ્યું લોકોને છોડીને મને માર (હણીનાખ) રાજાના આવા પ્રકારના સત્વ (પરાક્રમ)થી ખુશ થયેલો તે યક્ષ લોકોને ઉપદ્રવ કરતો બંધ થયો અને મૈત્રીને સ્વીકારી. ત્યાર બાદ આમ રાજાએ મિત્ર એવા યક્ષ પાસે પોતાના આયુષ્યને પૂછ્યું ત્યારે છ માસ બાકી રહેશે ત્યારે કહીશ એમ કહીને યક્ષ અદશ્ય થઈ ગયો. પછી અવસર પ્રાપ્ત થતાં તેણે કહ્યું કે ગંગા નદીની અંદર, આવેલું માગધ તીર્થ નાવ દ્વારા ઉતરતા તારૂં મૃત્યુ થશે પાણીમાંથી જ્યારે ધૂમાડો નીકળતો જોવામાં આવે ત્યારે તે મૃત્યુની નિશાની જાણવા માટે હે રાજનું ! પરલોક માટે ધર્મનું આચરણ કરવું હિતાવહ છે. પછી રાજાએ ગુરુના ઉપદેશથી શત્રુંજયનો મોટો સંઘ કાઢીને તેની યાત્રા કરીને દિગંબરોએ કલ્પે કરેલ શ્રી ગિરનાર તીર્થને પાછું મેળવ્યું. ત્યાંથી રાજા પોતાના પુરમાં આવ્યો. દુન્દુકને રાજ્ય પર બેસાડીને પ્રજાને ખમાવીને ગંગાના કાંઠે રહેલા માગધ તીર્થ તરફ ચાલતાં સૂરિની સાથે નાવમાં બેઠા નાવ વચ્ચે આવતાં ધૂમ્ર નીકળતો જોઈને વ્યંતરે કહેલું યાદ આવતાં સૂરિએ આમ રાજાને કહ્યું અંત સમયે પણ જૈન ધર્મનો સ્વીકાર કરી પછી રાજા જૈન ધર્મને સ્વીકારી અનશન કરી નમસ્કાર મહામંત્રની આરાધનામાં તત્પર બન્યો. ત્યારબાદ બપ્પભઢિગુરુ કાન્યકુબ્ધમાં આવ્યા અને પોતાના ગચ્છનું પાલન કર્યું આ બપ્પભદ્દિગુરુએ દુષ્પતિબોધક હોવા છતાં પણ આમ રાજાને મનમાં રહેલી સમસ્યા કવિવાદિ ગોષ્ઠિ વડે જેવી રીતે તેના મનને ગમે તે રીતે તેને આલોકની આપત્તિથી છૂટવા માટે તેના ઉપાયને પ્રગટ કરવા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (15)[અંશ-ર, તરંગ-૬ || ാണ്ടിമാളsaranag Ethisi મારા Dianaaaaaaaanonnnnnnaaaaaaaaaaaaaaanagemenકી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy