SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અંશ-૨ (તરંગ-૩) હવે કરંડીયાની ઉપમા દ્વારા શ્રી ગુરુની ચતુર્ભગી કહે છે. શ્લોકાર્ય :- (૧) ચાંડાલ (૨) વેશ્યા (૩) ગૃહપતિ (શ્રેષ્ઠિ) અને (૪) રાજાના કરંડીયાની ઉપમા જેવા ચાર પ્રકારના ગુરુઓ હોય છે. શ્રુત અને ચરણ આદિ વડે ઉત્તરોત્તર અસાર અને ઉત્તરોત્તર સારા જાણવા. વ્યાખ્યા - ચાંડાલ આદિના કરંડીયાની ઉપમાવાળા ગુરુઓ ચાર પ્રકારના છે. શ્રુત - ચરણ આદિથી રહિત અતિશયોથી યુક્ત એ કારણથી પહેલો અસાર અને સારા એ પ્રમાણે બે ભાંગા વડે ચતુર્ભગી કરવાથી અત્યંત અસાર અસારા અને અત્યંત સાર સારા થાય છે. એ પ્રમાણે સંબંધ છે. તેમાં શ્રત એટલે અરિહંત પરમાત્મા એ કહેલા આગમ, ચારિત્ર એટલે પાંચ મહાવ્રતાદિ જેમાં છે તે. આગમમાં કહ્યું છે કે:- ૫ વ્રત, ૧0 યતિ ધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિ તે ૪ નો નિગ્રહ આને ચારિત્ર કહેવાય છે. આદિ શબ્દથી ક્રિયાદિ ગ્રહણ કરવું. શ્રી સૂરિ વિશેષ ગુણવંત અતિશયવંત અને લબ્ધિવંત આદિગ્રહણ કરવા તેમાં કરણ (ક્રિયા) એટલે પિંડની વિશુધ્ધિ આદિ જાણવું. આગમમાં કહ્યું છે કે :- પિંડ શુધ્ધિ ૪, સમિતિ ૫, ભાવના ૧૨, ડિમા ૧૨, ઈન્દ્રિયોનો નિરોધ ૫, પડિલેહણ ૨૫, ગુપ્તિ - ૩, અને અભિગ્રહ એ બધી ક્રિયાઓ છે. આચાર્યના વિશેષ ગુણો પ્રતિરુપતાદિ જાણવા. કહ્યું છે કેઃ- પ્રતિરુપ, તેજસ્વી, યુગ પ્રધાન વળી અતિશયો, અઢીયોજનમાં દુકાળ, ડમરી આદિ વિદ્યા-મંત્ર ચૂર્ણ વિ. પ્રયોગથી ઉત્પન્ન થયેલા અથવા વશ કરેલા દેવતાદિથી થતાં ચમત્કાર વિશેષ તે અતિશયો છે. લબ્ધિઓ કોને કહેવાય તે કહે છે. ક્ષીરાશ્રવ આદિ કફ, વિષ્ટા, મલ, આમર્ષ, ઔષધિ વિ. અવધિજ્ઞાન વિ. લબ્ધિ હોય છે. હવે તેની વિચારણા કરે છે :- જેવી રીતે ચાંડાલનો કરંડીયો ચામડાથી મઢેલો અને ચામડાથી ભરેલો હોવાથી અત્યંત અસાર છે. (ચામડાનો હોવાથી અત્યંત અસાર છે.) તેવી રીતે પાસસ્થાદિ ષપ્રજ્ઞકની ગાથાઓ (શ્લોકો) | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 110 અંશ-૨, તરંગ-૩) |રneટાયર સારણ રાજસરાકરી રસાયણવિરાટસરસરણસરકાર ટકરાયટરસરાયanયમય રણanયરાત્રિયani ggggagangaa%a4%aa-saagadisaga9%ba%%aa%ા ક Auggesફાર હga૩૩૩૪૬૩૩૬aaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy