________________
५७
अकासणपवत्त
उपदेशोपनिषद्
પૂજાથી મનની શાંતિ મળે છે, મનની શાંતિથી ઉત્તમ ધ્યાન મળે છે. શુભધ્યાનથી મોક્ષ મળે છે, અને મોક્ષમાં અવ્યાબાધ સુખ છે.
મહાનિશીથ નામનું આગમસૂત્ર કહે છે - अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो
રૂ-૨૮ાા. પુષ્પ વગેરેથી જિનપૂજા કરવી એ સંપૂર્ણ સંયમથી રહિત એવા શ્રાવકો માટે ઉચિત છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે -
द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् ।
ગૃહસ્થો ભેદોપાસનારૂપ દ્રવ્યપૂજા – પુષ્પ વગેરેથી જિનપૂજા કરે, એ ઉચિત છે.
શ્રાવક પ્રજ્ઞપ્તિમાં શ્રી ઉમાસ્વાતિ વાચકે સ્પષ્ટ જણાવ્યું છે –
देहाइनिमित्तं पि हु जे कायवहम्मि तह पटद॒ति । जिणपूयाकायवहम्मि तेसिं पडिसेहणं मोहो ॥३४९॥ જેઓ પોતાના શરીર, ઘર વગેરે માટે પણ